SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ 7 યતિધર્મવિંશિકા કે પ્રારંભથી વચનક્ષમા હોય છે. કોઇક વાર સંજ્વલનના ઉદયથી ચંડરુદ્રાચાર્યની જેમ ક્ષમાદિનો અભાવ હોઇ પણ શકે, કારણ કે ત્યાં અતિચારની ભૂમિકા છે; પરંતુ જો યતિને ક્ષમાગુણ પ્રગટ્યો હોય તો તે નિયમથી વચનક્ષમારૂપ જ હોય. અને મુનિ જ્યારે અભ્યાસના અતિશયથી અસંગદશાને પામે ત્યારે તેને ધર્મક્ષમા પ્રાપ્ત થાય છે. જેમ ચંદનમાં ગંધ તેની પ્રકૃતિરૂપ હોય છે, તેમ અસંગદશામાં મુનિને પ્રાપ્ત થતી ધર્મક્ષમા જીવની પ્રકૃતિરૂપ હોય છે.II૧૧-૭ણા पंचभेयाओ 1 एमेवऽज्जवमद्दवमुत्तीओ हुंति पुव्वोइयनाएणं जइणो इत्थं पि चरमदुगं ॥ ८ ॥ एवमेवार्जवमार्दवमुक्तयो भवन्ति पञ्चभेदाः पूर्वोदितन्यायेन यतेरत्रापि चरमद्विकम् 11611 અન્વયાર્થ: મેવ આ જ રીતે અન્નવમમુત્તીઓ આર્જવ, માર્દવ અને મુક્તિ પંચમેયાઓ પાંચ ભેદવાળી હૈંતિ હોય છે. Ē વિ અહીં=આ પાંચમાં પણ પુન્વોયના પૂર્વાદિત ન્યાયથી=ગાથા ૪ અને ૫માં બતાવેલ યુક્તિથી નફળો પામવુાં યતિને છેલ્લી બે હોય છે. ગાથાર્થ: આ જ રીતે આર્જવ, માર્દવ અને મુક્તિ પાંચ ભેદવાળી હોય છે અનેં આ પાંચમાં પણ ગાથા ૪ અને ૫માં બતાવ્યું તે ન્યાયથી યતિને છેલ્લી બે હોય છે. ભાવાર્થ: જે રીતે ગાથા-૩માં ઉપકારી આદિ પાંચ પ્રકારની ક્ષમા બતાવી તે રીતે ઉપકારી આદિ પાંચ પ્રકારના માર્દવ-આર્જવ અને મુક્તિના પરિણામ હોય છે. તેમાં પણ ક્ષમાના પરિણામની જેમ મુનિને માત્ર છેલ્લા બે હોય છે. પાંચ પ્રકારના માર્દવ, આર્જવ અને મુક્તિના પરિણામો આ પ્રમાણે છે. માર્દવ : = (૧) ઉ૫કા૨ી-માર્દવ ઃ- કોઇ વ્યક્તિનો આપણા ઉપર ઉપકાર હોય અને તેના કારણે તેની સામે નમ્ર રહેવાનો જે પરિણામ થાય તેને ‘ઉપકારી-માર્દવ’ કહેવાય. (૨) અપકારી-માર્દવ :- કોઇ વ્યક્તિ પ્રત્યે નમ્રતા દાખવવામાં ન આવે તો તેનાથી આપણને અપકાર થવાની સંભાવના વિચારીને તેના પ્રતિ નમ્રતાથી વર્તન કરવામાં આવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy