SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 0 યતિધર્મવિંશિકાd કરવાનું છે. અટવીમાં જેને ઓળંગવું મુશ્કેલ હોય તેવા સ્થાનમાં પડેલો જીવતે અટવીમાંથી બહાર નીકળી શકતો નથી; આમ છતાં, તે વિષમ સ્થાનમાંથી જ્યારે જીવ બહાર નીકળી જાય છે ત્યારે અટવીમાં હોવા છતાં તે નગરની નજીક આવી જાય છે અને તેથી ક્રમે કરીને નગરને પ્રાપ્ત કરી લે છે. તે જ રીતે સંસારરૂપી અટવીમાં લોકસંજ્ઞારૂપી વિષમ સ્થાન ઓળંગવું જીવોને માટે અતિ મુશ્કેલ હોય છે, અને તેથી જ સર્વજ્ઞના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ તેઓ કરી શકતા નથી, જ્યારે મુનિ સંસારરૂપી અટવીમાં હોવા છતાં તેણે તે વિષમ સ્થાનરૂપ દુર્ગનું ઉલ્લંઘન કરી લીધું છે. તેથી લોકમાનસના જેવી મુનિની મનોવૃત્તિ નથી હોતી. આથી જ મુનિ સાધના કરીને કમસર મોક્ષરૂપી નગરને સહેલાઇથી પ્રાપ્ત કરી શકે છે. II૧૧ तम्हा नियमेणं चिय जइणो सव्वासवा नियत्तस्स । पढममिह वयणखंती पच्छा पुण धम्मखंति त्ति ॥७॥ तस्मानियमेनैव यतेः सर्वाश्रवानिवृत्तस्य । प्रथममिह वचनक्षांतिः पश्चात्पुनर्धर्मक्षान्तिरिति ॥७॥ અoqયાર્થ: તષ્ક તે કારણથી=જે કારણથી પૂર્વની ગાથામાં કહ્યા પ્રમાણે મુનિને લોકસંજ્ઞા નથી હોતી તે કારણથી, સવ્વાસવા નિયત્ત નફળો સર્વ આશ્રવથી નિવૃત્ત એવા યતિને ફુર અહીંસંસારમાં, નિયમે વિય નિયમથી જ પદ્યમ વયવંતી પહેલાં વચનક્ષમાં હોય છે. પછી પુજા ઘમવંતિ વળી પાછળથી ધર્મક્ષમાં (હોય છે.) પત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: જે કારણથી પૂર્વની ગાથામાં કહ્યા પ્રમાણે મુનિને લોકસંજ્ઞા નથી હોતી તે કારણથી, સર્વાશ્રવથી નિવૃત્ત એવા યતિને સંસારમાં નિયમથી જ પહેલાં વચનક્ષમા હોય છે અને પાછળથી ધર્મક્ષમા હોય છે. ભાવાર્થ: પૂર્વની ગાથામાં કહ્યું કે યતિને લોકસંજ્ઞા નથી હોતી તે કારણથી, સર્વ આશ્રવથી નિવૃત્ત એવા યતિને નિયમથી પહેલાં વચનક્ષમાં હોય છે, એટલે કે છઠા ગુણસ્થાનકના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy