SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ 0 કેવલજ્ઞાનવિંશિકાd. કેવળજ્ઞાન જીવનું સ્વરૂપ છે. મતિજ્ઞાન આદિ જ્ઞાનો કર્મના ક્ષયોપશમથી થનારા જીવના પરિણામરૂપ છે, પરંતુ કેવળજ્ઞાનની જેમ જીવના સ્વરૂપરૂપ નથી તે બતાવવા માટે કેવળજ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેમ કહેલ છે. વળી કેવળજ્ઞાન સંપૂર્ણ આવરણ દૂર થવાથી થાય છે, તેથી નિરાવરણ છે. જ્યારે અન્ય ચાર જ્ઞાન આવરણના ક્ષયોપશમભાવથી થતાં હોવા છતાં નિરાવરણરૂપ નથી. તે ઉપરાંત કેવળજ્ઞાન ‘પંચાસ્તિકાયરૂપ લોક અને અંત વગરના આકાશરૂપ અલોકને પ્રકાશ કરનાર છે. કેવળી લોક-અલોક બંનેને યથાર્થરૂપે કેવળજ્ઞાનથી જોઈ શકે વળી તે કેવળજ્ઞાન એક પ્રકારનું છે, અર્થાત્ મતિજ્ઞાનની જેમ ક્ષયોપશમના ભેદથી અનેક પ્રકારનું નથી, પરંતુ એક પ્રકારનું છે. તેથી દરેક કેવલીઓનું કેવળજ્ઞાન સમાન જ હોય છે. તેમાં તરતમતાકૃત ભેદ નથી હોતો. વળી તે કેવળજ્ઞાન નિત્યજ્યોતિ સ્વરૂપ છે, તેથી ક્યારેય પણ તે કેવળજ્ઞાનનો પ્રકાશ નાશ પામતો નથી. II૧૮-૧ અવતરણિકા: પૂર્વ ગાથામાં કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. હવે મતિજ્ઞાનાદિમાં જેમ દર્શન પૃથક છે, તેમ કેવળજ્ઞાનમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે જુદાં નથી તે બતાવવા માટે કહે मणपज्जवनाणंतो नाणस्स य ईसणस्स य विसेसो । केवलनाणं पुण दंसणं ति नाणं ति य समाणं ॥२॥ मनःपर्यवज्ञानान्तो ज्ञानस्य च दर्शनस्य च विशेषः । केवलज्ञानं पुनदर्शनमिति ज्ञानमिति च समानम् ॥२।। અoqયાર્થ: માનવનાતો મન:પર્યવજ્ઞાન સુધી ના ય વંસીસ ય જ્ઞાનનો અને દર્શનનો વિશેનો ભેદ છે. પુખ વળી હંસ તિ ના તિ ય દર્શન એ પ્રમાણે અને જ્ઞાન એ પ્રમાણે વેવનના સમi કેવળજ્ઞાન સમાન છે. ગાથાર્થ: મન:પર્યવજ્ઞાન સુધી જ્ઞાનનો અને દર્શનનો ભેદ છે. વળી કેવળદર્શન અને કેવળજ્ઞાન એ પ્રમાણે કેવળજ્ઞાન સમાન છે, એટલે કે કેવળજ્ઞાન અને કેવળદર્શન એક જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy