SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 1 કેવલજ્ઞાનવિશિકાd ૧૬૪ ભાવાર્થ: છમસ્થનો ઉપયોગ પ્રારંભિક સામાન્યરૂપે હોય છે અને પછી વિશેષરૂપે થાય છે. તેથી મત્યાદિ ચાર જ્ઞાનોમાં પ્રથમ દર્શનનો ઉપયોગ હોય છે અને પછી જ્ઞાનનો ઉપયોગ ક્રમસર વિકસે છે. આથી ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે, મન:પર્યવજ્ઞાન સુધી જ્ઞાન અને દર્શનનો ભેદ છે. પરંતુ કેવળજ્ઞાનમાં છદ્મસ્થના જ્ઞાનની જેમ પ્રથમ કેવળદર્શન અને પછી કેવળજ્ઞાન એવું નથી હોતું, અથવા તો કર્મગ્રંથના મત પ્રમાણે પ્રથમ કેવળજ્ઞાન અને પછી કેવળદર્શન થાય છે, પણ તે તાર્કિકોને માન્ય નથી. તેમના મતે તો કેવળજ્ઞાન જ કેવળદર્શનરૂપ છે. અર્થાત્ કેવળજ્ઞાન કહો કે કેવળદર્શન કહો, બંને એકાર્યવાચી શબ્દ છે, તેમ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી અને ગ્રંથકાર જેવા તાર્કિકો માને છે. અહીં વિશેષ એ છે કે કેવળજ્ઞાન સર્વદ્રવ્ય અને સર્વપર્યાયને એક કાળમાં જુએ છે. તેથી તે કેવળજ્ઞાનના એક ઉપયોગમાં જ દેખાતાં સર્વ દ્રવ્યોના જ્ઞાનને સામે રાખીને તેને કેવળદર્શન કહી શકાય, કેમ કે દ્રવ્ય એ સામાન્યરૂપ છે. અને કેવળજ્ઞાનના તે જ ઉપયોગમાં સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોના જ્ઞાનને સામે રાખીને કેવળજ્ઞાન કહેવાય, કારણ કે પર્યાય એ વિશેષરૂપ છે. ll૧૮-ચા અવતરણિકા:કેવળજ્ઞાનના બોધની મર્યાદાને સ્પષ્ટ બતાવવા માટે કહે છે - संभिन्नं पासंतो लोगमलोगं च सव्वओ नेयं । तं नत्थि जं न पासइ भूयं भव्वं भविस्सं च ॥३॥ संभिन्नं पश्यंल्लोकमलोकं च सर्वतो ज्ञेयम् । तन्नास्ति यन्न पश्यति भूतं भव्यं भविष्यच्च ॥३॥ અqયાર્થ: સબૂમો સંમિન્ન નેચં ત મનોજ વાસંતો સર્વથી પરિપૂર્ણ શેય એવા લોક અને અલોકને જોતો તં નત્યિ પૂર્વ મä વિસં જ તે ભૂત, વર્તમાન અને ભવિષ્ય નથી, ગંન પાછુ જેને (કેવળજ્ઞાની) ન જતા હોય. ગાથાર્થ: સર્વથી પરિપૂર્ણ શેય એવા લોક અને અલોકને જોતો, તે ભૂત, વર્તમાન અને ભવિષ્ય નથી, જેને કેવળજ્ઞાની જોતા ન હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy