SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ G કેવલજ્ઞાનવિંશિકાd ૧૬૨ | હેવલજ્ઞાનવિંશિSા ગ્રષ્ટાદ્રશ || અવતણિકા: પૂર્વવિંશિકામાં યોગનું સ્વરૂપ બતાવીને અંતે વીસમી ગાથામાં બતાવ્યું કે, નિરાલંબન ધ્યાન થાય ત્યારે મોહસાગરનું તરણ થાય છે અને તેનાથી ક્ષપકશ્રેણી દ્વારા કેવલજ્ઞાન થાય છે. તેથી હવે કેવલજ્ઞાન શું છે તે બતાવતાં કહે છે - केवलनाणमणंतं जीवसरूवं तयं निरावरणं । लोगालोगपगासगमेगविहं निच्चजोइ त्ति ॥१॥ केवलज्ञानमनन्तं जीवस्वरूपं तन्निरावरणम् । लोकालोकप्रकाशकमेकविधं नित्यज्योतिरिति ॥१॥ અqયાર્થઃ તય વનના તે=પૂર્વવિંશિકામાં જે કહ્યું હતું કે, શ્રેણીથી કેવળજ્ઞાન થાય છે, તે કેવળજ્ઞાન મiાં અનંત છે, નવસર્વ જીવ સ્વરૂપ છે, નિરાવર અનાવરણ છે, તોનોપVIRીનું લોકાલોક પ્રકાશક છે, વિવું એકવિધ છે (અને) નિત્તોડ નિત્યજ્યોતિરૂપ છે. રિ’ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: પૂર્વવિંશિકામાં કહ્યું હતું કે, શ્રેણીથી કેવળજ્ઞાન થાય છે. એ કેવળજ્ઞાન અનંત છે, જીવ સ્વરૂપ છે, નિરાવરણ છે, લોકાલોક પ્રકાશક છે, એકવિધ છે અને નિત્યજ્યોતિરૂપ ભાવાર્થ: કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન અથવા એકલું જ્ઞાન. જ્યાં અજ્ઞાન ન હોય તેને કેવળજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન અનંત છે, કારણ કે પ્રગટ્યા પછી કાળની અપેક્ષાએ તે અંત વગરનું છે. બીજી રીતે વિચારતાં અનંત દ્રવ્યો અને અનંત પર્યાયો કેવળજ્ઞાન દ્વારા જણાય છે માટે કેવલજ્ઞાન અનંત છે. દરેક દ્રવ્યોના ભૂત અને ભવિષ્યના અનંત પર્યાયોને પ્રત્યક્ષ રીતે કેવળજ્ઞાન દ્વારા જાણી શકાય છે, માટે પણ તેને અનંત કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy