SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वे चातिचारा ईषज्ज्वलनाश्चैते યતિધર્મવિંશિકાd. यत्संज्वलनानामुदयतो भवन्ति कुत उपकाराद्यपेक्षेह । I 'll અqયાર્થ: जं य भने । ।२।थी सव्वे अईयारा समितियारों संजलणाणमुदयओ हुति સંજ્વલનના ઉદયથી થાય છે યા અને આ=અતિચારો સિનના ઇષજ્વલન સ્વરૂપ છે (તે કારણથી) ગોવRલિવિદઅહીં ઉપકારાદિની અપેક્ષા ક્યાંથી હોય? (અર્થાત્ ન હોય.). ગાથાર્થઃ અને જે કારણથી સર્વ અતિચારો સંજવલનના ઉદયથી થાય છે અને અતિચારો ઈષક્વલન સ્વરૂપ છે તે કારણથી અહીં ઉપકારાદિની અપેક્ષા ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. ભાવાર્થ: સર્વવિરતિધરને જે કોઇપણ અતિચારો લાગે છે તે સંજ્વલન કષાયના ઉદયથી થાય છે. સંજ્વલન કષાય અલ્પજ્વલન સ્વરૂપ હોય છે અને આથી જ સંયમજીવનમાં “આ ઉપકારી છે, આ મારો અપકાર કરશે, અથવા તો ક્રોધનો વિપાક અનર્થકારી છે તે પ્રકારની અપેક્ષાથી ક્ષમા થતી નથી, પરંતુ ભગવાનના વચનને આશ્રયીને જમનોયોગાદિની પ્રવૃત્તિ હોવાને કારણે જીવમાં પ્રકૃતિથી જ ક્ષમાદિ ભાવો પ્રગટે છે. અહીં વિશેષ એ છે કે, સંસારી જીવોને કોઇક ને કોઇક પદાર્થમાં મમતા હોય છે, અને તેથી જ તેની વિરુદ્ધ ભાવોમાં તેમને દ્વેષ પણ હોય છે. આથી તેઓને બાર પ્રકારના કષાયનો ક્ષયોપશમ નથી હોતો. પ્રતિમાપારી શ્રાવકને પણ બાર પ્રકારના કષાયનો ક્ષયોપશમ નથી હોતો. તેથી ઉપસર્નાદિકાળમાં તેઓમાં દેખાતી ઉત્કૃષ્ટ ક્ષમાં પણ વચનક્ષમારૂપ નથી હોતી, કેમ કે ત્યાં પ્રત્યાખ્યાન કષાયનો ક્ષયોપશમભાવ નથી હોતો. આમ છતાં, વચનક્ષમાને નજીક એવી ક્ષમા પ્રતિભાધારી મહાશ્રાવકોને હોય છે. જ્યારે સાધુને આત્મિક ભાવો પ્રત્યે જ રાગ હોય છે અને તેના ઉપાયભૂત એવી ભગવાનની આજ્ઞા પ્રત્યે રાગ હોય છે, જે રાગ સંયમની પ્રવૃત્તિ કરવામાં બલવાન કારણ છે. અને એ સિવાયના સાંસારિક કોઇ સુખમાં કે સુખની સામગ્રીમાં તેઓને રાગ હોતો નથી. તેથી તેઓને સંજ્વલન સિવાય અન્ય કષાયોનો ઉદય હોતો નથી. ક્યારેક તે તે પ્રકારના નિમિત્તને પામીને સંજ્વલનના ઉદયથી યતિને અતિચાર લાગે છે, ત્યારે ઈષજ્વલન થાય છે. આ ઈષજ્વલનનું નિવર્તન પણ મુનિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy