SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ યતિધર્મવિંશિકાd ગાથાર્થ: જે કારણથી ત્રણેય યોગો વડે કરીને બાર પ્રકારના કષાયનો ક્ષયોપશમ થયે છતે જ યતિધર્મ થાય છે, તે કારણથી યતિધર્મમાં છેલ્લી બે ક્ષમા હોય છે. ભાવાર્થ: સાધુના મન-વચન-કાયાના યોગો પ્રાયઃ કરીને શાસ્ત્રના સ્મરણપૂર્વક ભગવાનના વચનાનુસાર પ્રવર્તે છે, તેથી તેઓને અનંતાનુબંધી આદિ પ્રથમના બાર કષાયોનો ક્ષયોપશમભાવ વર્તે છે અને તેના કારણે તેઓને વચનક્ષમાં હોય છે. જ્યારે સાધુને શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ સુઅભ્યસ્ત થઈ જાય છે ત્યારે વચનના સ્મરણ વગર સહજ ભાવે ક્ષમાનો પરિણામ વર્તે છે, તે ધર્મક્ષમા કહેવાય છે. અહીં વિશેષ એ છે કે પ્રથમ ત્રણ ક્ષમામાં ઉપકારી આદિની અપેક્ષા હતી, તેથી તે ત્રણ ક્ષમાને સાપેક્ષ ક્ષમા કહેલ. અને સાધુને તેવા ઉપકારી આદિ ભાવોની અપેક્ષાથી ક્ષમા વર્તતી નથી પરંતુ મોક્ષને અનુકૂળ એવા ભગવાનના વચન પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ છે. તેથી ક્રોધાદિનાં બાહ્ય નિમિત્તો પ્રાપ્ત થાય ત્યારે પણ “મારવત્તિ વાળા એ પ્રકારના ભગવાનના વચનનું સ્મરણ કરીને ક્ષમાના ભાવમાં તેનો યત્ન વર્તે છે, તેથી તેને નિરપેક્ષ ક્ષમા કહેલ છે. વળી લોકોત્તર એવા ભગવાનના વચનના સ્મરણથી આ ક્ષમાનો પરિણામ થયેલો હોવાથી આને લોકોત્તરક્ષમાં કહેલ છે. દશ પ્રકારના યતિધર્મની અંતર્ગત ક્ષમાનો પરિણામ શ્રાવકને નથી માન્યો તેનું કારણ એ છે કે, ગમે તેવી શાંત પ્રકૃતિવાળો પણ શ્રાવક પરિગ્રહવાળો હોય છે, અને તેથી પોતાની સંપત્તિના નાશ પ્રત્યે કે નાશ કરનાર પ્રત્યે તેને દ્વેષ થઇ શકે છે, જ્યારે મુનિને સર્વથા પરિગ્રહનહિ હોવાને કારણે ક્યાંય મમત્વ હોતું નથી અને તેથી જ તે ભગવાનના વચનાનુસાર નિર્મમભાવની વૃદ્ધિ અર્થે યત્ન કરે છે. તેથી મુનિને પ્રથમ બાર કષાયોના ક્ષયોપશમથી પેદા થયેલી ક્ષમા હોય છે, અન્યને નહિ. II૧૧-૪|| અવતરણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે યતિને ચરમ બે ક્ષમા હોય છે. હવે યતિને પ્રથમની ત્રણ ક્ષમા કેમ નથી હોતી તે બતાવતાં કહે છે - सव्वे य अईयारा जं संजलणाणमुदयओ हुंति । ईसिजलणा य एए कुओवगारादविक्खेह ॥५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy