SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ 0 યોગવિંશિકા) અને ભગવાન વીતરાગભાવવાળા છે, તેથી વીતરાગ એવા પરમાત્માનું સ્મરણ કરીને હું તેમની સાથે તન્મયભાવવાળો થાઉં તે પ્રકારના સંકલ્પથી નિયંત્રિત ક્રિયામાં ઉપયોગપૂર્વક યત્ન કરતો હોય, ત્યારે તે માનસ ઉપયોગ તે વિશુદ્ધ ચિત્તરૂપ છે; અને તેના આત્મા ઉપર તેનાથી સંસ્કારો પડે છે, જે સંસ્કારો આત્માના પ્રશાંતભાવની વૃદ્ધિ કરે તેવા હોય છે. કેમ કે રાગાદિ ઉપયોગકાળમાં જેમ રાગાદિના સંસ્કારો આત્મા ઉપર વૃદ્ધિ પામે છે, તેમ વીતરાગભાવના ખેંચાણપૂર્વક વીતરાગના ગુણોના કીર્તનથી પ્રશાંત ભાવોના સંસ્કારો પડે છે. અને તેવી પ્રશાંતવાહિતાથી સહિત એવી કરાતી ચૈત્યવંદનાદિ ક્રિયા અનુષ્ઠાન સ્વરૂપ છે, અને તે અનુષ્ઠાન ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર અનુષ્ઠાન બનીને મોક્ષના ફળમાં વિશ્રાંત થાય છે. II૧૭-૧ળા અવતરણિકા: સઅનુષ્ઠાનના ભેદોને બતાવતાં અને અનુષ્ઠાનના ચરમભેદમાં અનાલંબનયોગરૂપ ચરમયોગભેદનો અંતર્ભાવ કરતાં કહે છે - एयं च पीइभत्तागमाणुगं तह असंगयाजुत्तं । नेयं चउन्विहं खलु एसो चरमो हवइ जोगो ॥१८॥ एतच्च प्रीतिभक्त्यागमानुगं तथाऽसंगतायुक्तम् । ज्ञेयं चतुर्विधं खल्वेष चरमो भवति योगः ॥१८॥ અqયાર્થ: ૨ અને મરામાપુનું પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરનાર તદ તથા મસંગયાનુ અસંગથી યુકત અર્થ રળ્યિાં નેયં આ= અનુષ્ઠાન ચાર પ્રકારનું જાણવું. પણ આ અસંગઅનુષ્ઠાન વરમો ગોગો દવ ચરમ યોગ=અનાલંબનયોગરૂપ થાય છે. ગાથાર્થઃ પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરનાર તથા અસંગથી યુક્ત અનુષ્ઠાન ચાર પ્રકારનું જાણવું. અસંગઅનુષ્ઠાન અનાલંબનયોગરૂપ થાય છે. ભાવાર્થ: - સદ્અનુષ્ઠાનની તરતમતાને કારણે તેના સામાન્યથી ચાર ભેદો પડે છે. અહીં તે ભેદકૃત ચાર ભૂમિકાને પ્રીતિ, ભકિત આદિ ચાર અનુષ્ઠાનરૂપે બતાવી છે. બાકી તો દરેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy