SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૮ 0 યોગવિશિકાd પ્રકારના અનુષ્ઠાનની અવાંતર ભૂમિકાઓ અસંખ્યાત ભેદવાળી હોઈ શકે છે. , પ્રીતિઅનુષ્ઠાનમાં ભગવાનના અનુષ્ઠાન પ્રત્યે જીવને અત્યંત પ્રીતિ હોય છે. આ અનુષ્ઠાન તેને હિતકારી લાગે છે અને તેના માટે તે આનંદનું સાધન હોય છે. પ્રીતિની તરતમતાથી આ પ્રીતિઅનુષ્ઠાનના અનેક ભેદો પડી શકે છે. અનુષ્ઠાનના વિષયમાં જ્યારે “આ અનુષ્ઠાન મારા માટે ગુણવૃદ્ધિનું કારણ છે” એવી બુદ્ધિ ઉત્પન્ન થાય અને એવું માનીને અત્યંત ભકિતપૂર્વક જે અનુષ્ઠાન સેવવામાં આવે તે ભક્તિઅનુષ્ઠાન બને છે. ભક્તિની તરતમતાથી આ અનુષ્ઠાન પણ અવાંતર અનેક ભેદવાળુ હોઈ શકે છે. પત્ની એ પ્રીતિનું સ્થાન હોવાથી જ્યારે તેને વસ્ત્ર-આભરણાદિ અપાય છે ત્યારે પ્રીતિપૂર્વક અપાય છે, તેવી જ રીતે પ્રીતિઅનુષ્ઠાનમાં અનુષ્ઠાન પ્રીતિપૂર્વક કરાય છે. માતા પોતાના પ્રત્યે ઉપકારનું કારણ હોવાથી પોતાના ગુણનું કારણ છે, તેથી તેના પ્રત્યે ભક્તિભાવ હોય છે. આ ભકિતભાવને કારણે માતાને જ્યારે વસ્ત્રાદિ અપાય ત્યારે ભકિતભાવથી અપાય છે. આવી જ રીતે ભક્તિઅનુષ્ઠાનમાં અનુષ્ઠાન ગુણવૃદ્ધિનું કારણ દેખાય છે માટે તે અનુષ્ઠાન ભક્તિથી સેવાય છે. આ કાળમાં અનુષ્ઠાન ઉપકારક લાગે છે, ગુણવૃદ્ધિનું કારણ લાગે છે. આ બંને પ્રકારના અનુષ્ઠાનમાં ભગવાન પ્રત્યે આદરભાવ હોવા છતાં પણ બંનેમાંથી એકમાં પણ યથાર્થ આગમ-પરતંત્રતા નથી હોતી. પરંતુ ભક્તિઅનુષ્ઠાન જ જ્યારે પ્રકર્થ બને છે ત્યારે તે વચનાનુષ્ઠાન બની જાય છે. જીવ આ અનુષ્ઠાન આગમને પરતંત્ર રહીને શક્તિના પ્રકર્ષથી કરી શકે છે, માટે જ એને વચનાનુષ્ઠાન કહેવાય છે. વચનઅનુષ્ઠાનના સેવનના પ્રકર્ષથી જ ઉચિત પ્રવૃત્તિઓમાં પ્રયત્ન કરવાનો જ્યારે જીવને સહજ પરિણામ પ્રગટે છે, ત્યારે તે અસંગભાવમાં આવે છે. તે વખતે તેનું ચિત્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં સર્વથા અપ્રતિબદ્ધ હોય છે. તેથી વીતરાગ સાથે તન્મયતા આવે તેવો ધ્યાનનો ઉપયોગ હોય છે. આ ધ્યાનનો ઉપયોગ જ પ્રકર્ષ બનીને કેવળજ્ઞાનનું કારણ બને છે. પ્રીતિ આદિ ચાર અનુષ્ઠાનમાં આ છેલ્લું અનુષ્ઠાન જ અનાલંબનયોગરૂપ, છેલ્લા યોગભેદસ્વરૂપ છે. આમ, સ્થાનાદિ પાંચ યોગના ભેદનો પાંચમો અનાલંબનયોગ અને પ્રીતિ આદિ ચાર અનુષ્ઠાનમાંથી છેલ્લે અસંગઅનુષ્ઠાન એક જ છે. II૧૭-૧૮ના અવતરણિકા: અઢારમી ગાથામાં કહ્યું કે અસંગઅનુષ્ઠાન એ અનાલંબનયોગરૂપ છે. હવે તે અનાલંબનયોગ પણ સર્વથા અનાલંબનરૂપ નથી, તે બતાવવા માટે કહે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy