SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૬ 0 યોગવિંશિકા પણ અવિધિની ઉપેક્ષા કરવી નહીં. હવે તે પ્રાસંગિક કથનનું સંક્ષેપ કરીને પ્રસ્તુત જે યોગની વાત છે તેનું નિગમન કરતાં કહે છે - कयमित्थ पसंगेणं ठाणाइसु जत्तसंगयाणं तु । . हियमेयं विनेयं सदणुट्ठाणत्तणेण तहा ॥१७॥ कृतमत्र प्रसङ्गेन स्थानादिषु यत्नसंगतानां तु । हितमेतद्विज्ञेयं सदनुष्ठानत्वेन तथा ॥१७॥ અqયાર્થ: થ અહીં યોગની પ્રરૂપણામાં વયમ્ સોળ પ્રસંગથી સર્યું તુ વળી હારમાર નિત્તીયાનું સ્થાનાદિમાં યત્નવાળાઓને ફર્યા આકચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિયં વિર્ય હિત જાણવું. તણા અથવા સપુકાત્તા અનુષ્ઠાનપણાથી હિયાં વિર્ય આ=(ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન) હિત જાણવું. ગાથાર્થઃ યોગની પ્રરૂપણામાં પ્રસંગથી સર્યું. વળી સ્થાનાદિમાં યત્નવાળાઓને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિત જાણવું અથવા અનુષ્ઠાનપણાથી ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન હિત જાણવું. ભાવાર્થ: સ્થાનાદિયોગમાં જે લોકો યત્ન કરે છે તેઓનું ચૈત્યવંદન અનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે. જો કે પૂર્વમાં યોગ” તરીકે “સ્થાનાદિને સ્થાપન કરેલ છે તેથી સ્થાનાદિ મોક્ષનું કારણ છે તેમ સિદ્ધ થાય, પરંતુ ચૈત્યવંદન મોક્ષનું કારણ છે તે સિદ્ધ થાય નહીં. આમ છતાં, ચૈત્યવંદન વિષયક સ્થાનાદિ હોવાને કારણે ચૈત્યવંદન મોક્ષનું પ્રયોજક બને છે, માટે તેને મોક્ષનું કારણ ન કહી શકાય; પણ વ્યવહારનય પ્રયોજકને પણ કારણ તરીકે સ્વીકારે છે, માટે ચૈત્યવંદન અનુષ્ઠાનને પણ મોક્ષસાધક તરીકે વ્યવહારનય સ્વીકારશે. વળી અન્ય નયથી બીજો અર્થ કરતાં કહે છે કે - અનુષ્ઠાનપણા વડે કરીને ચૈત્યવંદન મોક્ષનું કારણ છે. આ નયની દૃષ્ટિથી ચૈત્યવંદન અનુષ્ઠાન મોક્ષનું પ્રયોજક નથી પરંતુ અનુષ્ઠાન રૂપે મોક્ષનો હેતુ જ છે. અહીં વિશેષ એ છે કે કોઈ આત્મા પોતાના ક્ષયોપશમ પ્રમાણે ચૈત્યવંદન સૂત્રના સામાન્ય અર્થ જાણતો હોય, તે આત્મા આ ચૈત્યવંદનમાં ભગવાનના ગુણોનું કીર્તન છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy