SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પપ 0 યોગવિંશિકા . આત્મકલ્યાણના અર્થીએ આવી લોકસંજ્ઞાને છોડીને શાસ્ત્રમાં બતાવાયેલી એકાંતે ઉપકારી એવી ક્રિયાઓનાં રહસ્યોને જાણવા પ્રયત્ન કરવો જોઇએ. તે રહસ્યોને જાણીને તે જ પ્રકારે ક્રિયા કરવાની રુચિ કેળવવી જોઈએ. ત્યાર પછી અતિ નિપુણ બુદ્ધિથી વિધિપૂર્વક ચૈત્યવંદન કરવા પ્રયત્ન કરવો જોઇએ. જો આવી રીતે કરવામાં આવે તો લોકોત્તર ચૈત્યવંદન આદિ ક્રિયાઓથી સંસારસાગરને પાર કરી શકાય છે. લોકસંજ્ઞાના ત્યાગની સાથે પ્રવર્તન કરવા પૂર્વે સાધુસમયસદ્ભાવને વહન કરવા ગ્રંથકારે કહ્યું છે. સાધુસમયનો સદ્ભાવ એટલે ઉચિત સિદ્ધાંતનો સર્ભાવ. આમ, બુદ્ધિશાળી આત્માએ સભ્ય શાસ્ત્રના સિદ્ધાંતનાં રહસ્યોને વહન કરીને ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરવી જોઇએ. “સારું કરનારા થોડા હોય છે માટે ઘણા કરે તે કરવું જોઇએ” એ વાત બરાબર નથી. તેથી જ તો સંસારમાં જેમ રત્નોના વેપારી થોડા હોય છે તેમ લોકોત્તર માર્ગમાં પણ મોક્ષના અર્થી થોડા જ હોય છે. આથી ઘણા કરતા હોય એવું કરવાની મતિનો ત્યાગ કરીને શાસ્ત્રને આગળ કરવાની મતિ અપનાવવી તે સાધુસમયનો સદભાવ છે. સાંપ્રતમાં જે જિત પ્રમાણે વર્તવા માટે કહેવામાં આવ્યું છે, તે જિત વ્યવહાર પણ તે જ છે કે (૧) જે સંવિજ્ઞ-ગીતાર્થથી આચરેલું હોય, (૨) શ્રુતથી બાધિત ના હોય અને વળી (૩) જે પરંપરાએ શુદ્ધ હોય. આમ, મહાજન પણ તે જ છે કે જે શાસ્ત્રનીતિથી વર્તે. આથી મહાજનનો માર્ગ પણ શાસ્ત્રનીતિનો જ માર્ગ છે. આમ, અનેક રીતે શાસ્ત્રસાપેક્ષ મતિ કેળવવી એ જ સાચા શાસ્ત્રનો સદ્ભાવ છે. અહીં એટલું ખાસ લક્ષમાં લેવું કે ચૈત્યવંદન આદિ ક્રિયાઓની બાહ્યવિધિની જેમ અંતરંગવિધિ પણ આવશ્યક છે. બાહ્યક્રિયાને અવલંબીને તે તે ક્રિયાથી અપેક્ષિત ગુણોને ખીલવવાનો પ્રયત્ન એ અંતરંગ પ્રયત્ન છે. આ અંતરંગ પ્રયત્નને પોષક હોય તેવી જ બાહ્ય ક્રિયા સફળ છે. જો અંતરંગ પ્રયત્નનું કારણ ન બની શકે તો બાહ્યવિધિ પૂર્ણ હોય તો પણ નિષ્ફળ છે. અભ્યાસદશામાં આ પ્રયત્ન રુચિરૂપે હોય છે અને પ્રવૃત્તિરૂપે કંઇક કંઇક થાય છે. જ્યારે અભ્યસ્ત દશા થઇ જાય છે ત્યારે તો ક્રિયાથી સહજ તે ભાવો કરી શકાય છે. આવા ભાવોમાં પ્રવર્તવા માટે જ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને, કુશળતાપૂર્વક સિદ્ધાંતના ભાવોને વહન કરીને બુદ્ધિમાન આત્માએ અતિ નિપુણતાથી સમ્યક યત્ન કરવો જોઇએ. II૧૭-૧૬ અવતરણિકા: યોગની પ્રરૂપણામાં સ્થાનાદિ યોગને ચૈત્યવંદનમાં યોજન કરીને બતાવ્યા પછી પ્રાસંગિક કથનરૂપે ગાથા ૧૪-૧૫૧૬ માં બતાવ્યું કે તીર્થનો ઉચ્છેદ આદિના ભયથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy