SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ 7 યોગવિંશિકા તેનો ઉપયોગ શબ્દોના પારમાર્થિક અર્થને સ્પર્શે છે. આથી જ તેનો સૂત્રોચ્ચારણમાં ઉપયોગ વિલંબ વગર ક્રમસર ચાલે છે. આલંબનયોગવાળા જીવો એટલે ચૈત્યવંદન અનુષ્ઠાનના જે તે દંડકકાળમાં તે તે આલંબનીય એવા તીર્થંકરાદિની મુદ્રા દ્વારા વીતરાગભાવને ઉપસ્થિત કરવા માટે માનસયત્ન કરતા જીવો. પ્રથમ દંડકમાં જે તીર્થંકરની પ્રતિમા સમક્ષ ચૈત્યવંદન કરાય છે તેમાં એક તીર્થંકરની મુદ્રા દ્વારા વીતરાગભાવને ઉપસ્થિત કરવાનો યત્ન કરાય છે. બીજા દંડકમાં ચોવીસે તીર્થંકરોની લોકોત્તમતાને સ્મૃતિમાં લાવીને એના આલંબન દ્વારા તીર્થંકરના ગુણોમાં લીન થવાનો યત્ન કરાય છે. ત્રીજા દંડકમાં પ્રવચનની ઉપકારકતા, તેની લોકોત્તરતા અને તેનું ગાંભીર્ય યાદ કરીને પ્રવચનના આલંબન દ્વારા તેના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન કરાય છે. ચોથા દંડકમાં સમ્યગ્દષ્ટિ શાસનના અધિષ્ઠાયક દેવોનું સ્મરણ કરી તેમના આલંબન દ્વારા સાધનામાં સહાયક થવાની પ્રાર્થના કરાય છે. આ દરેક દંડકકાળમાં જે આત્મા અર્થ અને આલંબનમાં સમ્યગ્ યત્ન કરી શકે છે તે આત્માને તેનાથી નિષ્પાદ્ય ભાવોનું સમ્યગ્ સ્ફુરણ થાય છે. આવા ઉપયોગવાળો જીવ અર્થ અને આલંબનયોગવાળો કહેવાય છે. આવા પ્રકારના અર્થ અને આલંબનયોગવાળાને ચૈત્યવંદનના સૂત્રનું યથાર્થ પદજ્ઞાન પ્રાયઃ કરીને અવિપરીત થાય છે. એટલે કે આ યથાર્થ પદજ્ઞાન મોક્ષરૂપ પોતાનું ફળ આપીને જ રહે છે. આથી જ અર્થ અને આલંબનયોગવાળાનું યથાર્થ પદજ્ઞાન પોતાના ફળ સાથે વ્યભિચારી નથી હોતું. તેઓનું ચૈત્યવંદન મોક્ષની સાથે એકવાક્યતાના ઉપયોગવાળું હોય છે. આ ઉપયોગના સંસ્કારોથી ફરી ફરી તે વિશેષ પ્રકારના ભાવો પેદા કરી શકે છે અને ક્રમે કરીને આ સંસ્કારોના પ્રકર્ષથી જ તે એ જ ભવમાં વીતરાગ પણ બની શકે છે. અર્થ અને આલંબનયોગમાં ઉપયોગવાળો પણ જીવ જો મોક્ષ પ્રત્યે પ્રતિકૂળ એવા નિકાચિત કર્મોવાળો હોય તો તેનું યથાર્થ પદજ્ઞાન પણ તે જ ભવમાં મોક્ષસાધક નથી બનતું. આ કારણથી જ પ્રાયઃ કરીને અવિપરીત છે એવું કહ્યું છે. નિકાચિત કર્મોવાળાઓનો અર્થ અને આલંબનમાં તે પ્રકારનો યત્ન હોવાને કારણે મોક્ષની સાથે તેમનું એકવાક્યતાનું પ્રતિસંધાન હોવા છતાં એ જ ભવમાં મોક્ષરૂપ ફળ સુધી તેઓ જઇ શકતા નથી. આથી જ તેમનું ચૈત્યવંદન તે જ ભવમાં મોક્ષરૂપ ફળ આપી શકતું નથી. વળી જેમના કર્મ સોપક્રમ હોય છે, તેવા આત્માઓ જો અર્થ અને આલંબનયોગવાળા હોય તો તેઓ તે જ ભવમાં મોક્ષે જાય છે. ૪ આ સિવાયના લોકોમાં એટલે કે જેઓ અર્થ અને આલંબનમાં યત્ન કરી શકતા નથી પરંતુ યત્ન કરવાની તીવ્ર સ્પૃહાવાળા છે, અને સાથે સાથે સ્થાન અને ઊર્ણયોગમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy