SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 7 યોગવિંશિકા 7 १४५ યત્નપરાયણ છે, તેઓનું ચૈત્યવંદન માત્ર શ્રેયસ્કારી છે; એટલે કે પરંપરાએ ભાવચૈત્યવંદનની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બની શકે એવું છે, પરંતુ અત્યારે તે મોક્ષની સાથે સીધું જોડાયેલું નથી. આ વિષમ કાળમાં તો અર્થ અને આલંબનની સ્પૃહાવાળા અને સ્થાનાદિમાં યત્નપરાયણ જીવો પ્રાયઃ કરીને બહુ ઓછા હોય છે. તો પણ જે લોકોમાં સ્થાનાદિમાં યત્ન લેશ પણ છે, તેઓનું પણ ચૈત્યવંદન અનુષ્ઠાન દૂર-દૂરવર્તી પણ શ્રેયસ્કારી તો છે જ.||૧૭-૧૦/૧૧/ અવતરણકા : પૂર્વની ગાથામાં બતાવ્યું કે કોને સ્થાનાદિયોગ ઇષ્ટફળવાળો થાય છે અને કોને માત્ર શ્રેયસ્કારી થાય છે. હવે સ્થાનાદિના અભાવવાળા જીવોને આ ચૈત્યવંદન અનુષ્ઠાન આપવામાં આવે તો વિપરીત ફળવાળું થાય કે નિષ્ફળ થાય છે. તેથી જેઓમાં લેશથી પણ સ્થાનાદિયોગ ન હોય તેવાઓને ચૈત્યવંદનનું પ્રદાન યોગ્ય નથી, એવા પ્રકારનો ઉપદેશ આપતાં કહે છે - इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ । ता अणुरूवाणं चिय कायव्वो एयविन्नासो ॥१२॥ इतरथा तु कायवासितप्रायमथवा महामृषावादः ततोनुरूपाणामेव कर्तव्य एतद्विन्यासः ॥૬॥ અન્વયાર્થ: ફહરા ૩ વળી ઇતરથા=સ્થાનાદિમાં લેશ પણ યત્નનો અભાવ હોય તો (તે ચૈત્યવંદન) જાયવાસિયપાય અહવા મહામુસાવાઓ કાયવાસિત તુલ્ય અથવા મહામૃષાવાદ છે તા તે કારણથી અનુરૂવાળ નિય યોગ્યોને જ ય વિન્નામો આ=ચૈત્યવંદન સૂત્રનું પ્રદાન નાયબ્લો કરવું જોઇએ. ગાથાર્થ: વળી સ્થાનાદિમાં લેશ પણ યત્નનો અભાવ હોય તો તે ચૈત્યવંદન કાયવાસિત તુલ્ય અથવા મહામૃષાવાદ છે. તે કારણથી યોગ્યોને જ ચૈત્યવંદનનું પ્રદાન કરવું જોઇએ. ભાવાર્થ: પૂર્વની ગાથામાં કોના માટે સ્થાનાદિયોગ ઇષ્ટફળવાળો=અવિપરીત છે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy