SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ 0 યોગવિંશિકા . વચનાનુસાર ક્રિયા કરવાની રુચિવાળો જીવ. ટીકાકારે ક્રિયા પ્રત્યે આસ્તિષ્પવાળા જીવને શ્રદ્ધાયુક્ત કહ્યો છે. આનાથી એ જણાય છે કે જે આત્માને ચૈત્યવંદનની ક્રિયા પ્રત્યે માર્ગાનુસારી રુચિ હોય, તે રુચિના કારણે જ ભગવાનના વચનાનુસાર ચૈત્યવંદન કરવાની ઇચ્છા હોય, અને જ્યારે ચૈત્યવંદનનાં સૂત્રોનું પોતે શુદ્ધ ઉચ્ચારણ કરતો હોય કે અન્ય કોઈ ઉચ્ચારતું હોય ત્યારે પોતે ઉપયોગપૂર્વક સાંભળતો હોય, તે જ આત્માને યથાર્થ પદજ્ઞાન થાય છે. શ્રદ્ધા વગરનો આત્મા શુદ્ધ વર્ગોના ઉચ્ચારપૂર્વક સૂત્ર બોલતો હોય અને તે સૂત્રોનાં પદોમાં ઉપયોગવાળો હોય તો પણ તેને યથાર્થ પદજ્ઞાન થતું નથી, કેમ કે તેની મૂળ રુચિ જ અતત્ત્વ પ્રત્યે હોય છે. તેથી શબ્દાર્થ સ્થૂલ વ્યવહારથી યથાર્થ જાણે છે તો પણ વીતરાગભાવથી તદ્દન વિપરીત રુચિ હોવાથી તેનું જ્ઞાન દૂર-દૂરવતી પણ મોક્ષ સાથે જોડાયેલું નથી હોતું. આવા આત્મામાં પદજ્ઞાનની વ્યાવૃત્તિ કરવા માટે જ કહ્યું છે કે શ્રદ્ધાયુકત જીવને જ યથાર્થ પદજ્ઞાન થાય છે. ચૈત્યવંદનનાં સૂત્રોનું આ યથાર્થ પદજ્ઞાન અર્થ અને આલંબનયોગવાળા જીવો માટે પ્રાયઃ કરીને અવિપરીત બને છે, એટલે કે તેઓને આ યથાર્થ પદજ્ઞાન પ્રાયઃ કરીને તે જ ભવમાં મોક્ષરૂપી ફળને આપે છે. અર્થ અને આલંબનયોગવાળા જીવો એટલે અર્થ અને આલંબનમાં વિશેષ પ્રકારના માનસિક યત્નરૂપ પ્રણિધાનવાળા જીવો. અર્થ એટલે ‘ઉપદેશપદમાં બતાવાયેલ પદાર્થ, વાક્યર્થ, મહાવાક્ષાર્થ અને ઔદમ્પર્ધાર્થ સુધીનું પરિશુદ્ધ જ્ઞાન. તેમાં જેનો માનસિક પ્રયત્ન ચાલુ હોય, તે આત્મા અર્થયોગવાળો કહેવાય. વાચના દ્વારા પદાર્થ - વાક્ષાર્થ - મહાવાક્ષાર્થ અને ઔદંપર્યાર્થ સુધીનો બોધ ગુરુ કરાવે છે. ગ્રહણ કરેલ તે સૂત્રના ઔદંપર્યાર્થ સુધીના અર્થને સાંભળ્યા પછી તેમાં કોઇ સ્થાનમાં થયેલી શંકાઓનું પૃચ્છના દ્વારા નિરાકરણ કરાય છે. આ રીતે વાચના-પૃચ્છના દ્વારા કરાયેલો બોધ યોગ્ય શ્રોતાને ઔદંપર્યાર્થ સુધીના બોધનું કારણ બને છે. જેને તે પ્રકારનો ઐદંપર્યાર્થ સુધીનો બોધ થઇ જાય છે તે આત્મા તે બોધને જ પરાવર્તન દ્વારા સ્થિર કરે છે. તે સ્થિર થયેલા ઔદંપર્યાર્થ સુધીના બોધને જ ક્રિયાકાળમાં અનુપ્રેક્ષા દ્વારા જોડવામાં આવે તો તે આત્મા અર્થના ઉપયોગવાળો કહેવાય છે. આમ, અનુપ્રેક્ષાથી યુક્ત ક્રિયા જેની હોય તે આત્મા અર્થઉપયોગવાળો કહેવાય. અર્થઉપયોગવાળો આત્મા ક્રિયાકાળમાં કંઈ તે પદોના વાક્યાર્થ, મહાવાક્યાર્થ આદિની વિચારણા નથી કરતો હોતો, પરંતુ પૂર્વે વાક્યર્થ આદિના ક્રમથી જે ઔદંપર્યાર્થિને ગ્રહણ કર્યો હોય છે, તે જ ઐદંપર્યાર્થને શબ્દ દ્વારા બુદ્ધિમાં ઉપસ્થિત કરે છે. આના દ્વારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy