SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 7 યોગવિંશિકા ઉ ૧૪૨ તેને યુક્તિથી વિચારવા પ્રયત્ન કરે. એ પછી તેને પોતાના આચરણમાં જોડવા માટે સમ્યગ્ યત્ન કરે તો પ્રાયઃ કરીને તે જીવને સ્થાનાદિ યોગોનું તત્ત્વ યથાર્થ જણાય છે. આથી જ કહ્યું છે કે - आगमेनानुमानेन योगाभ्यासरसेन च I त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ १०१ ॥ ( योगदृष्टिसमुच्चय ) (આગમથી, અનુમાનથી અને યોગાભ્યાસના અતિશયથી ત્રણ પ્રકારની પ્રજ્ઞાને જોડતો એવો યોગી ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે.) સ્થાનાદિ યોગના યથાર્થ જ્ઞાનથી તત્ત્વને જાણનાર જીવ પોતાનાથી કરાતી ચૈત્યવંદનની ક્રિયા ઇચ્છાદિમાંથી કયા ભેદવાળી છે તે નક્કી કરી શકે છે અને તદનુસાર વિશિષ્ટ યોગ માટે વિશિષ્ટ પ્રયત્ન પણ કરી શકે છે. જે લોકો બોધ મેળવવા તે પ્રકારનો યત્ન કરતા નથી તેઓ પોતાની ક્રિયામાં સ્થાનાદિનું સમ્યગ્ યોજન કરી શકતા નથી. આટલું કહ્યા પછી ગ્રંથકારને આગળની ગાથાઓમાં દૃષ્ટાંતરૂપ ચૈત્યવંદનમાં સ્થાનાદિની પ્રગટ યોજના બતાવવી છે. આથી જ તેમનું કહેવું છે કે તે યોજનાને જાણવા માટે જે સમ્યગ્ યત્ન કરે તે જ પોતાની ક્રિયાને સ્થાને જોડી શકશે. II૧૭-૯લા અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે તત્ત્વનો જાણનાર જ ચૈત્યવંદનના દૃષ્ટાંતથી પ્રગટ એવી આ સ્થાનાદિ યોજનાને સમ્યક્ જાણે છે. હવે તે સ્થાનાદિ ૨૦ ભેદોની યોજનાને સામાન્યથી બતાવતાં કહે છે - अरहंतचेइयाणं करेमि उस्सग्ग एवमाईयं । सद्धाजुत्तस्स तहा होइ जहत्थं पयन्नाणं ॥१०॥ अर्हच्चैत्यानां करोम्युत्सर्गमेवमादिकम् 1 श्रद्धायुक्तस्य तथा भवति यथार्थं पदज्ञानम् ॥१०॥ एयं चत्थालं बणजोगवओ पायमविवरीयं तु । इयरेसिं ठाणाइसु जत्तपराणं परं सेयं ॥११॥ एतच्चार्थालम्बनयोगवतः प्रायोऽविपरीतं तु इतरेषां स्थानादिषु यत्नपराणां परं श्रेयः ||૬|| 1 અન્વયાર્થ: (પરિશુદ્ધ પદ ઉચ્ચારણમાં દોષ ના હોય ત્યારે) સદ્ધાળુત્તÆ શ્રદ્ધાયુક્તને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy