SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. 7 યોગવિશિકાઈ अनुकंपा निर्वेदः संवेगो भवति तथा च प्रशम इति । एतेषामनुभावा इच्छादीनां यथासंख्यम् 11211 અન્વયાર્થ: સિં ક્ચ્છાફળ આ ઇચ્છાદિ યોગોનાં અનુષા નિજેઓ સંવેગો તદ્દ ય પણમુ ત્તિ અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ એ પ્રમાણે નાસવું અનુમાવા ક્રમ પ્રમાણે કાર્યો હોદ્દ થાય છે. ગાથાર્થ: ભાવાર્થ: આ ઇચ્છાદિ યોગોનાં અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ ક્રમ પ્રમાણે કાર્યો १४० પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકથી જીવમાં સ્થાનાદિ વિષયક ઇચ્છા આદિ ચાર યોગો પ્રગટે છે. આ ઇચ્છા આદિ યોગોનાં અનુક્રમે ચાર કાર્યો પણ પ્રગટે છે. ઇચ્છાયોગનું કાર્ય અનુકંપા, પ્રવૃત્તિયોગનું કાર્ય નિર્વેદ, ધૈર્યયોગનું કાર્ય સંવેગ અને સિદ્ધિયોગનું કાર્ય પ્રશમ છે. અનુકંપા એટલે દ્રવ્ય અને ભાવથી પોતાની શક્તિ પ્રમાણે દુઃખી જીવોનાં દુઃખને દૂર કરવાની ઇચ્છા. દ્રવ્યથી અનુકંપા દ્વારા બાહ્ય દુઃખ દૂર કરાય છે અને ભાવથી અનુકંપા દ્વારા “દુઃખી જીવ સંસારથી પાર પામો” તેવી ઇચ્છાથી તેને સન્માર્ગની પ્રાપ્તિ કરાવાય છે. આવી વિશિષ્ટ અનુકંપા ઇચ્છાયોગવાળાને હોય છે. સંસારની નિર્ગુણતાના જ્ઞાનને કારણે સંસાર પ્રત્યે વિરક્તતા પેદા થવી એ નિર્વેદ છે. આ નિર્વેદનો વિશિષ્ટ પરિણામ પ્રવૃત્તિયોગવાળાને થાય છે. મોક્ષની ઇચ્છા એ સંવેગ છે, જે થૈર્યયોગવાળાને વિશિષ્ટ થાય છે. ક્રોધ અને વિષયતૃષ્ણાના ઉપશમનો પરિણામ એ પ્રશમ છે, જે સિદ્ધિયોગવાળાને વિશિષ્ટ થાય છે. પાંચમા ગુણસ્થાનકથી પૂર્વેના જીવો જે સ્થાનાદિમાં યત્ન કરે છે તે બીજમાત્ર હોય છે. તેથી તેના કાર્યભૂત અનુકંપા આદિના પરિણામો પણ સામાન્ય ભૂમિકાના હોય છે. પરંતુ પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકવી જીવોમાં જ્યારે ઇચ્છા આદિ યોગો પ્રગટે છે ત્યારે તેઓમાં વિશેષ પ્રકારના અનુકંપા આદિ ભાવો પ્રગટે છે. II૧૭-૮II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy