SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 7 યોગવિંશિકા પ્રીતિ એટલે પોતાની શક્તિ પ્રમાણે જે સ્થાનાદિનું સેવન થતું હોય ત્યારે તે સ્થાનાદિના કરણમાં હર્ષ. સ્થાનાદિમાં શક્તિ પ્રમાણે યત્ન કરતાં પોતે કાંઇક યોગમાર્ગને સેવે છે તેવા સંવેદનને કારણે જે હર્ષ પેદા થાય છે તે જ પ્રીતિ છે. 6′ ધૈર્ય એટલે સ્થાનાદિયોગ પ્રત્યે જ્યારે રુચિ હોય અને કરણકાળમાં પ્રીતિ હોય ત્યારે તે યોગોને સમ્યગ્ રીતે નિષ્પન્ન કરવા માટે ધૈર્યપૂર્વક થતો દૃઢ યત્ન. ધારણા એટલે જે યોગોનું પોતે સેવન કરતો હોય તેના ઉત્તમ સંસ્કારોને દૃઢ કરવા માટેનો વિશિષ્ટ માનસ ઉપયોગ. ચિત્તની દૃઢ ધારણાપૂર્વક યોગમાર્ગમાં જે દૃઢ સંસ્કારો પડે છે તે ધારણા છે. અનુપ્રેક્ષા એટલે પોતે જે સ્થાનાદિ યોગને સેવતો હોય, તેમાં કેટલા યોગો સમ્યગ્ નિષ્પન્ન કરાયા, કેટલા કરવાના બાકી છે, કેટલી સ્ખલનાઓ થઇ અને તે સ્ખલનાઓને કેવી રીતે યત્ન કરવાથી દૂર કરાય કે જેથી અનુષ્ઠાન સમ્યગ્ રીતે નિષ્પન્ન થાય તેવા પ્રકારની વિચારણા. ૧૩૯ શ્રદ્ધા છે. સ્થાનાદિયોગના સેવનકાળમાં ચિત્તનો જે એકાગ્રભાવ છે તે ધ્યાન કહેવાય છે. અહીં ભવ્યજીવો દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અપુનબંધકાદિને ગ્રહણ કર્યા છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે સ્થાનાદિના ઇચ્છાદિ યોગો અપુનબંધકથી માંડીને દેશવિરતિધર, સર્વવિરતિધર સુધી હોય છે. આવું લેવાનું કારણ એ છે કે ગાથા નં - ૩માં કહેલ કે વ્યવહારનયપ્રધાનદષ્ટિવાળા યોગના બીજમાત્રને પણ યોગરૂપે કહે છે. આનાથી એ ફલિત થાય કે નિશ્ચયનયની દષ્ટિથી વિચારીએ તો પાંચમા ગુણસ્થાનકથી જ સ્થાનાદિના ઇચ્છાયોગાદિ પ્રાપ્ત થાય છે, અને અપુનર્બંધક અને સમ્યગ્દષ્ટિમાં સ્થાનાદિના ઇચ્છાયોગ નથી પરંતુ બીજમાત્ર છે. અને વ્યવહારનયની દષ્ટિથી અપુનબંધકથી માંડીને સર્વવિરતિ સુધી સર્વને તે તે ભૂમિકાના સ્થાનાદિના ઇચ્છાયોગ હોઇ શકે છે. આમ, વ્યવહારનયને સામે રાખીને જ મૂળ ગાથાના ભવ્ય સત્ત્વ શબ્દથી અપુનબંધક શબ્દનું ઉપાધ્યાયજી મહારાજાએ ગ્રહણ કરેલ છે. ||૧૭-૭૫ અવતરણિકા: પૂર્વની ગાથામાં ઇચ્છાદિ યોગોના હેતુભેદોને બતાવ્યા. હવે ઇચ્છાદિ યોગોના કાર્યભેદને બતાવે છે - अणुकंपा निव्वेओ संवेगो होइ तह य पसमुत्ति । एएसिं अणुभावा इच्छाईणं जहासंखं ॥८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy