SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ 0 યોગવિંશિકા) સ્થાનાદિયોગમાં યત્ન કરતા હોય તેઓને પોતાના જેવા સિદ્ધયોગી બનાવવા સમર્થ એવા જે સ્થાનાદિ તે પુખ સિદ્ધિ દો વળી સિદ્ધિયોગ છે. III ત્તિ ઇચ્છાદિ ચાર ભેદોની સમાપ્તિનું સૂચક છે. ગાથાર્થ: સ્થાનાદિયોગથી યુકત એવા જીવની કથામાં પ્રીતિથી સહિત એવી વિશેષ પરિણામવાળી ઇચ્છા તે ઇચ્છાયોગ છે. વળી પ્રવૃત્તિયોગ સર્વત્ર ઉપશમપ્રધાન સ્થાનાદિયોગનું પાલન છે. પા. | પ્રવૃત્તિયોગની જેમ જ સર્વત્ર ઉપશમપ્રધાન સ્થાનાદિનું પાલન અને પાલન કરાતા સ્થાનાદિયોગની બાધક ચિંતાથી રહિત સ્થિરપણું જાણવું. પોતાના સાન્નિધ્યમાં રહીને જે લોકો સ્થાનાદિયોગમાં યત્ન કરતા હોય તે લોકોને પોતાના જેવા સિદ્ધયોગી બનાવવા સમર્થ એવા સ્થાનાદિયોગને સિદ્ધિયોગ કહેવાય છે. II ભાવાર્થ : ઈચ્છાયોગ:- જે જીવ સ્થાનાદિયોગવાળા જીવોની કથા પ્રીતિપૂર્વક સાંભળતો હોય અને તે સાંભળવાની ક્રિયા પણ અર્થને જાણવાની ઇચ્છાથી કરતો હોય, તેવા જીવને ઇચ્છાયોગ સંભવી શકે છે. જ્યારે તે સ્થાનાદિયોગવાળા મહાત્માઓની કથા સાંભળતો હોય ત્યારે તેનો અંતરંગ ઊહાપોહ પ્રવર્તતો હોય છે, તે મહાત્મા કઈ રીતે યત્ન કરે છે કે જેથી તે મહાત્માઓને સ્થાનાદિયોગ પ્રગટ થાય છે? તે પ્રકારની જિજ્ઞાસાથી તે કથા સાંભળતાં કવચિત્ તેને અર્થનો પણ બોધ થાય છે. અર્થાત્ આ રીતે સ્થાનાદિમાં યત્ન કરવાથી સ્થાનાદિયોગ પોતાનામાં પણ પ્રગટી શકે, તેવા પ્રકારના અર્થનો બોધ થાય છે. તેવા પ્રકારના અર્થને જાણવાનો યત્નથી જનિત હર્ષથી યુક્ત એવી વિચિત્ર પરિણામવાળી ઇચ્છા તે ઇચ્છાયોગ છે. અહીં વિચિત્ર પરિણામવાળી ઇચ્છા કહી તેનો આશય એ છે કે, શાસ્ત્રની વિધિ પ્રમાણે જે લોકો સ્થાનાદિમાં યત્ન કરે છે તેના પ્રત્યે તેને હૈયામાં બહુમાનભાવ પ્રગટે છે, અને પોતાને પણ શાસ્ત્રવિધિ પ્રમાણે કરવાની તીવ્ર અભિલાષા થાય છે. આમ છતાં તેવો પ્રયત્ન તે કરી શકતો નથી, છતાં પોતાના ઉલ્લાસમાત્રથી યત્કિંચિત્ અભ્યાસ આદિરૂપ તે સ્થાનાદિમાં યત્ન કરે છે તે જ ઇચ્છાયોગ છે. અહીંમૂળ ગાથામાં ‘વિપરિણામીની ઇચ્છાને ઇચ્છાયોગ કહેલ છે, તે ઇચ્છાની પ્રધાનતા બતાવવા માટે છે. પરંતુ વાસ્તવિક રીતે તેવી ઇચ્છાથી વિશિષ્ટ સ્વશકિતને અનુરૂપ સ્થાનાદિ વિષયક આચરણા તે જ ઇચ્છાયોગ છે. આ અર્થ પૂ. ઉપાધ્યાયએ સ્વયં Y-૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy