SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 7 યોગવિંશિકા G યોગવિંશિકામાં કરેલ છે. પ્રવૃત્તિયોગ :- સ્થાનાદિ વિષયક ઇચ્છાયોગવાળો જીવ, અભ્યાસના અતિશયથી જ્યારે શાસ્ત્રમાં જે પ્રકારે વિહિત છે તે જ પ્રકારે સ્થાનાદિયોગને કરી શકે છે, ત્યારે તે પ્રવૃત્તિયોગ બને છે. પ્રવૃત્તિયોગકાળમાં જીવમાં સ્થાનાદિ વિષયક વીર્યનો અતિશય પ્રવર્તે છે, સ્થાનાદિનાં જેટલાં અંગો હોય તે સર્વ અંગોથી યુક્ત ક્રિયા કરતો હોય છે અને તે ક્રિયાને અનુરૂપ સર્વ અવસ્થામાં ઉપશમપ્રધાન તેનું પાલન કરતો હોય છે. તે જે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કરતો હોય તે અનુષ્ઠાનના પ્રારંભથી માંડી સમાપ્તિકાળ સુધી તેના ચિત્તમાં વિશેષ પ્રકારનો ઉપશમભાવ પ્રવર્તતો હોય છે. તેથી તે ક્રિયાઓનાં સર્વ અંગોને છોડીને અન્ય વિષયક ચિત્તનો ઉપયોગ જતો નથી, પરંતુ તે ક્રિયાનાં જ સર્વ અંગોમાં ઉચિત રીતે દૃઢ યત્નથી પ્રવર્તે છે. આ જ પ્રવૃત્તિયોગ છે. થૈર્યયોગ:- છઠ્ઠી ગાથાની શરૂઆતમાં તથા વ્ નો અર્થ એ છે કે, જે પ્રકારે પ્રવૃત્તિમાં પાલન છે તે જ પ્રકારે પાલન સ્થિરયોગમાં છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રવૃત્તિયોગની જેમ જ સ્થાનાદિનું પાલન સ્થિરયોગમાં પણ છે. આમ છતાં પ્રવૃત્તિ કરતાં તેનો ભેદ શું છે તે બતાવતાં કહે છે કે, સેવાતા એવા સ્થાનાદિનું બાધકચિંતારહિત જે સ્થિરપણું પ્રાપ્ત થાય છે તે સ્થિરયોગ જાણવો. અહીં પ્રવૃત્તિ અને સ્થિરયોગમાં એ ભેદ છે કે પ્રવૃત્તિરૂપે સ્થાનાદિયોગ જ્યારે કરાય છે ત્યારે તેમાં સૂક્ષ્મ અતિચાર હોવાની સંભાવના રહે છે, અને તેથી જ પોતાની પ્રવૃત્તિમાં સ્ખલના કરે તેવાં બાધક તત્ત્વોની ચિંતા પ્રવૃત્તિયોગમાં હોય છે. યપિ પ્રવૃત્તિકાળમાં કોઇ બાધક સામગ્રી ન મળે તો સ્ખલના ન પણ હોય, તો પણ સ્થિરયોગ જેવી દૃઢ પ્રવૃત્તિ ત્યાં નથી હોતી. તેથી જ પ્રવૃત્તિયોગવાળાઓને પોતાની પ્રવૃત્તિને બાધક કરનાર નિમિત્તોની ચિંતા હોય છે. આથી જ તેવા નિમિત્તોથી દૂર રહીને તે પ્રવૃત્તિમાં યત્ન કરે છે. આ પ્રવૃત્તિના પુનઃ પુનઃ અભ્યાસને કારણે જ્યારે સ્થિરભાવ આવે છે, ત્યારે બાધક સામગ્રી પણ તેની પ્રવૃત્તિમાં સ્ખલના કરી શકતી નથી. તેથી સ્થિરયોગ તે બાધકચિંતાથી રહિત હોય છે. આથી જ આદ્ય ભૂમિકાવાળા યોગીઓ એકાંતસ્થાને ધ્યાનાદિમાં યત્ન કરતા હોય છે અને સ્થિરયોગવાળા ગામમાં કે જંગલમાં ગમે તે ઠેકાણે ધ્યાનમાં સુદઢ યત્ન કરી શકે છે. સિદ્ધિયોગ :- પ્રવૃત્તિયોગ જ અભ્યાસના અતિશયથી સ્થિરપણાને પામે છે અને સ્થિરપણાને પામેલ સ્થાનાદિયોગ જ અભ્યાસના અતિશયથી જીવની પ્રકૃતિરૂપે બને ત્યારે જ સિદ્ધિયોગરૂપ થાય છે. સિદ્ધયોગી આત્મા જ્યારે ચૈત્યવંદન કે ધ્યાનાદિ અનુષ્ઠાન કરતો હોય ત્યારે તેના સાંનિધ્યમાં રહી અન્ય કોઇ સાધક સ્થાનાદિમાં યત્ન કરતો Jain Education International ૧૩૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy