SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 5 યોગવિશિકાઇ १२८ કરતો હોય ત્યારે વિશેષથી તે ક્રિયાવિષયક સ્થાનાદિ ધર્મવ્યાપાર વર્તતો હોય છે. આને વ્યવહારનય યોગ કહે છે. નિશ્ચયનય સૂક્ષ્મદષ્ટિથી જોનાર છે. તેથી ભગવાનની આજ્ઞાનુસાર કરાતી શરીરની ક્રિયા કે આવશ્યકાદિ ક્રિયાઓ જે આત્માની શુદ્ધિનું કારણ બને તે સર્વને નિશ્ચયનય યોગ કહે છે. જ્યારે વ્યવહારનય સ્કૂલ દષ્ટિવાળો છે. તેથી જ્યારે શાસ્ત્રમાં બતાવેલી વિધિના ઉપયોગપૂર્વક સ્વાધ્યાય કે આવશ્યક આદિની ક્રિયાકાળમાં જીવ શુભ ભાવમાં વર્તતો હોય અને તેના દ્વારા તે વિશેષ-વિશેષતર શુદ્ધિને પામતો હોય, માત્ર ત્યારે વ્યવહારનય શુદ્ધિમાં કારણભૂત તે ક્રિયાને જ યોગ કહે છે. વ્યવહારનયને શરીરના વ્યાપારોની ક્રિયાઓ યોગરૂપ નથી દેખાતી, જ્યારે નિશ્ચયનયની સૂક્ષ્મદષ્ટિ હોવાથી શરીરની ક્રિયામાં પણ આજ્ઞાપાલનનો અધ્યવસાય હોવાથી તેને નિશ્ચયનય યોગ કહે છે. આ જ યોગવિંશિકાની ટીકામાં પૂ. ઉપાધ્યાયજીએ પ્રણિધાન આદિ પાંચ આશયો લીધા અને પ્રસ્તુત યોગવિંશિકામાં મૂળમાં તે વાતની કોઇ ચર્ચા જ નથી કરી, પરંતુ સ્થાનાદિ પાંચ શું છે તે જ વાતને વિશેષ બતાવીને આગળ યોગ વિશે કથન કર્યું છે. તેથી કોઇને શંકા થાય કે પૂ. ઉપાધ્યાયજી આ વાત ક્યાંથી લાવ્યા હશે અને અહીં તેનું કેમ યોજન કર્યું? તેનું સમાધાન એ છે કે વીસ વિંશિકાઓમાં પૂર્વમાં અગિયારમી વિંશિકામાં યતિધર્મ બતાવ્યો. ત્યારપછી તે યતિધર્મની જ ભિક્ષા આદિ અન્ય ક્રિયાઓની વાતો બતાવી. છેલ્લે સોળમી વિંશિકાના અંતે કહ્યું કે આ રીતે યતિધર્મમાં યત્ન કરતો મુનિ ઉત્તમ એવા યોગસુખને આલોકમાં જ પામે છે. તેથી જ એ નક્કી થાય છે કે ભાવપૂર્વકની યતિધર્મની આચરણાથી ઉત્તમ એવા યોગસુખની પ્રાપ્તિ થાય છે. આથી તે યોગ શું ચીજ છે તે જ વાત અહીં બતાવવી છે. આમ, ભાવપૂર્વકની આચરણારૂપ યોગક્રિયા જ અહીં ગ્રહણ થાય છે અન્ય નહીં, અને તેના જ ભેદો સ્થાનાદિ પાંચ છે. આમ છતાં, ભાવપૂર્વકની યોગક્રિયા કેવી હોય અને ભાવ વગરની યોગક્રિયા કેવી હોય તેવી જિજ્ઞાસાને સામે રાખીને પૂ. ઉપાધ્યાયજીએ ક્રિયામાં વર્તતા ભાવને સ્પષ્ટ કરવા માટે પ્રણિધાનાદિ આશયો બતાવ્યા છે; જ્યારે ગ્રંથકારને તે માન્ય હોવા છતાં સંક્ષેપથી યોગનું સ્વરૂપ બતાવવું છે, અને વીસ શ્લોકની મર્યાદામાં જ યોગના કથનનો સંકલ્પ છે, તેથી મૂળ શ્લોકમાં પ્રણિધાનાદિ આશયોને નિબદ્ધ કરેલ નથી. આ પ્રણિધાનાદિ પાંચ આશયો ‘ત્રીજા ષોડશક’માં ભાવપૂર્વકની ક્રિયા અને ભાવ વગરની ક્રિયાને બતાવવા માટે તેમણે સ્વયં લીધેલ જ છે. ||૧૭-૧૫ અવતણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે વ્યવહારનયથી સ્થાનાદિગત ધર્મવ્યાપાર યોગ છે. તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy