SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ યોવિંશિકાd સોગવિંશિer સEશt in અવતરણિકા: પૂર્વ વિંશિકામાં વીસમી ગાથામાં કહ્યું કે આ રીતે દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને કરતો જીવ ભાવઆરોગ્યને પામે છે અને તેથી અહીંયાં જ ઉત્તમ યોગસુખને પ્રાપ્ત કરે છે. તેથી યોગ શું છે તે બતાવતાં કહે છે - मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो । परिसुद्धो विनेओ ठाणाइगओ विसेसेण ॥१॥ मोक्षेण योजनाद्योगः सर्वोपि धर्मव्यापारः । परिशुद्धो विज्ञेयः स्थानादिगतो विशेषेण ॥१॥ અqયાર્થ: મુશ્કેન ગોયમો મોક્ષની સાથે યોજન કરનાર હોવાથી સવ્વો વિ પરિશુદ્ધો થમવાવા સર્વ પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર ગો વિમો યોગ જાણવો. (અને) વિલેણ ટાફગો વિશેષથી સ્થાનાદિગત (પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગ જાણવો.) ગાથાર્થ: મોક્ષની સાથે યોજન કરનાર હોવાથી સર્વ પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગ જાણવો અને વિશેષથી સ્થાનાદિગત પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગ જાણવો. ભાવાર્થ: આ ગાથામાં ‘યોગ” શું છે તે બતાવવામાં આવ્યું છે. “ભગવાનના વચનના સ્મરણપૂર્વક, તદનુસાર થતો સાધુનો સર્વ પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગ છે” એ કથન નિશ્ચયનયને આશ્રયીને છે. વળી “વિશેષથી સ્થાનાદિગત યોગ છે” તે કથન વ્યવહારનયને આશ્રયીને છે. સાધુને સર્વ ક્રિયાઓ ભગવાનના વચનના સ્મરણપૂર્વક કરવાની વિધિ છે. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી ભિક્ષા લાવવાની ક્રિયા કે શરીરના ધર્મો સેવવાની ક્રિયા પણ જો ભગવાનના વચનના સ્મરણપૂર્વક સાધુ કરતો હોય તો તે પરિશુદ્ધ ધર્મવ્યાપાર બને છે. આ સર્વવ્યાપાર નિર્જરાની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે, તેથી યોગ છે. સાધુની આવશ્યકાદિ ક્રિયાઓ કે પડિલેહણ આદિ ક્રિયાઓ ઉપયોગપૂર્વક સાધુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy