SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ પ્રાયશ્ચિત્તવિશિકાd કેમ કે સંયમની ક્રિયામાં સુદઢયત્ન વર્તે છે, અને તે યત્ન નિર્જરાનું કારણ છે. ત્યાં બાહ્યહિંસા તો અશક્ય પરિહારરૂપ છે. તે જ રીતે કોઈ જીવ સંયમમાં યત્ન કરતો હોય અને તથાવિધ પ્રમાદને કારણે કે કષાયને કારણે પ્રવ્રજ્યામાં અતિચાર થઈ ગયા હોય તો પણ, જો તે સમ્યક પ્રાયશ્ચિત્તમાં યત્ન કરતો હોય તો, પ્રાયશ્ચિત્ત દ્વારા તે અતિચારોથી જન્ય કર્મોનો નાશ થઇ જાય છે. આ ઉપરાંત પ્રાયશ્ચિત્તના અધ્યવસાયથી અતિચારના સંસ્કારો પણ નાશ પામે છે, અને આથી પ્રવ્રજ્યાના અતિચારો પણ સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત્ત કરવામાં યત્નવાળા સાધુને અપકારક નથી બનતા. ૧૬-૧લા અવતરણિકા:હવે વિંશિકાનું નિગમન કરતાં કહે છે - एवं भावनिरुज्जो जोगसुहं उत्तमं इहं लहइ । परलोगे य नरामरसिवसुक्खं तप्फलं चेव ॥२०॥ एवं भावनीरुजो योगसुखमुत्तममिह लभते । परलोके च नरामरशिवसौख्यं तत्फलं चैव ॥२०॥ અqયાર્થ: પર્વ નવનિરુગો આ રીતે ભાવઆરોગ્યવાળો યોગી ફ૬ અહીં=આ ભવમાં ૩મં ગોળનું ઉત્તમ એવા યોગસુખને તદ મેળવે છે , અને તeત્ત વેવ તેના ફળ સ્વરૂપે જ પરતો પરલોકમાં નરીમસિવસુલં મનુષ્ય, દેવ અને શિવસુખને મેળવે છે. ગાથાર્થ - આ રીતે ભાવઆરોગ્યવાળો યોગી આ ભવમાં ઉત્તમ એવા યોગસુખને મેળવે છે, અને તેના ફળસ્વરૂપે જ પરલોકમાં મનુષ્ય, દેવ અને શિવસુખને મેળવે છે. ભાવાર્થ - પૂર્વની ગાથાઓમાં દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્તો બતાવ્યાં. મુનિ જો તે રીતે જે પ્રકારની ખલના થઇ હોય તેને અનુરૂપ પ્રાયશ્ચિત્ત કરે તો તે ભાવઆરોગ્યને પ્રાપ્ત કરે છે. ભાવઆરોગ્યવાળો સાધુ આ ભવમાં ઉત્તમ કોટિના યોગસુખનો અનુભવ કરે છે. સંસારનાં સુખ અંદરની વ્યાકુળતાના કંઇક સાંત્વનરૂપ હોય છે, જ્યારે સંયમમાં સમ્યક પ્રકારે યત્ન કરતાં કતાં ભાવઆરોગ્યને પામેલા સાધુને કોઈ સ્પૃહા હોતી નથી, તેથી નિઃસ્પૃહતાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy