SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ 0 પ્રાયશ્ચિત્તવિંશિકા અધિક-અધિક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આમ, ચારિત્રની પ્રાપ્તિ થવી એ જ ચારિત્રનો સુંદર અનુબંધ છે. વળી આ રીતે પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધ થયેલો જીવ અવિરાધિત ચારિત્રના કારણે પ્રાયઃ કરીને થોડા ભવોમાં તો સંસારથી પાર પામે છે. માટે જ સાધુએ પ્રાયશ્ચિત્તમાં યત્ન કરવો જોઇએ. અહીં પ્રાયઃ કરીને એટલા માટે કહ્યું છે કે, કોઇ જીવ અવિરાધિત ચારિત્ર પાળીને સદ્ગતિમાં જાય તો પણ બીજા ભવમાં કોઈ પ્રબળ કર્મોને કારણે વિપરીત બુદ્ધિવાળો થાય તો અધિક ભવો પણ થઇ શકે છે. પરંતુ ભૂતકાળનું તેવું કોઇ કર્મન આવે તો અવિરાધિત ચારિત્રવાળો જીવ અવશ્ય થોડા ભવમાં સંસારથી તરી જાય છે. ll૧૬-૧૮ અવતણિકા: પૂર્વની ગાથામાં બતાવેલ કે પ્રાયશ્ચિત્તમાં યત્ન કરવો જોઈએ. હવે તે જ વાતને દૃઢ કરવા માટે પ્રસ્તુત ગાથામાં સમ્યક પ્રાયશ્ચિત્તથી પ્રવ્રજ્યાના અતિચારો પણ અહિતકારી નથી બનતા તે બતાવે છે - किरियाए अपच्चारे जत्तवओ णावगारगा जह य । पच्छित्तवओ सम्मं तह पव्वजाए अइयारे ॥१९॥ क्रियायां अपराधा यत्नवतो नापकारका यथा च । प्रायश्चित्तवतः सम्यक् तथा प्रव्रज्याया अतिचारे ॥१९॥ અoqયાર્થ: ગદવિરિયાણ કરવો જે પ્રકારે ક્રિયામાં યત્નવાળાને આપવા અપરાધો વિIRT 4 અપકારક નથી જ, તદ તે પ્રકારે સમં પછિત્તવમો સમ્યક પ્રાયશ્ચિત્ત કરવાવાળાને પશ્વના પ્રવ્રજ્યા વિષયક મને અતિચારો (અપકારક નથી). ” પવકારના અર્થમાં છે. ગાથાર્થ: જે પ્રકારે ક્રિયામાં યત્નવાળાને અપરાધ અપકારક નથી જ, તે પ્રકારે સમ્યક પ્રાયશ્ચિત્ત કરવાવાળાને પ્રવજ્યા વિષયક અતિચાર અપકારક નથી. ભાવાર્થ: કોઇ જીવ સંયમની ક્રિયામાં અત્યંત યત્નવાળો હોય, પરંતુ કવચિત્ અનાભોગથી તેના દ્વારા કોઇ હિંસા થઇ ગઇ હોય તો પણ, તે હિંસાથી તેને લેશ પણ કર્મબંધ થતો નથી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy