SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ 9 પ્રાયશ્ચિત્તવિશિકાઈ. ભાવાર્થ : ગાથા ૬ થી ૧૬માં બતાવાયેલા છે તે પ્રકારના પાપને આશ્રયીને આવતાં પ્રાયશ્ચિત્તોને જે સાધુ કરે છે તે નક્કી શુદ્ધ થાય છે. કારણ કે પ્રાયશ્ચિત્ત કરવાથી તેનાં પાપો નાશ પામે છે. આ રીતે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થયેલો સાધુ ચારિત્રની સમ્યફ આરાધના કરી શકે છે. પરંતુ જો યથોચિત પ્રાયશ્ચિત્ત ન કરવામાં આવે તો સુંદર રીતે કરેલી ચારિત્રની આરાધના ફળવાન નથી થતી. I/૧૬-૧ળી અવતરણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલા સાધુ દ્વારા સમ્યક ચારિત્રની આરાધના થાય છે. હવે સમ્યક ચારિત્રની આરાધનાનું ફળ બતાવીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનો ઉપદેશ આપે છે - अविराहियचरणस्स य अणुबंधो सुंदरो उ हवइ त्ति । अप्पो य भवो पायं ता इत्थं होइ जइयव्वं ॥१८॥ अविराधितचरणस्य चानुबन्धः सुन्दरस्तु भवतीति । अल्पश्च भवः प्रायस्तदत्र भवति यतितव्यम् ॥१८।। અqયાર્થ: વિરહિયર" ય અને અવિરાધિત ચારિત્રવાળાનો મધુવંધો અનુબંધ સુંદર ૩ વડું સુંદર જ થાય છે , અને પાયં પ્રાયઃ કરીને મળ્યો નવો રોફ અલ્પ ભવવાળો થાય છે. તો તે કારણથી રૂલ્ય આમાં=પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં નફયવં પ્રયત્ન કરવો જોઇએ. ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: અવિરાધિત ચારિત્રવાળાનો અનુબંધ સુંદર જ થાય છે અને તે પ્રાયઃ કરીને અલ્પ ભવવાળો થાય છે. તે કારણથી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં પ્રયત્ન કરવો જોઇએ. ભાવાર્થ: સંયમજીવનમાં અનાભોગાદિથી કે તથાવિધ રાગાદિને પરવશ થઈને કદાચ કોઈ દોષોનું સેવન થયું હોય, પરંતુ પાછળથી પશ્ચાત્તાપ આદિ થવાને કારણે જો ઉચિત શુદ્ધિ કરવામાં આવે તો ચારિત્ર અવિરાધિત બને છે. અવિરાધિત ચારિત્રના કારણે ભવાંતરમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy