SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ 0 પ્રાયશ્ચિત્તવિંશિકા . शब्दादिकेष्वीषदप्यत्र रागादिभावतो भवति । आलोचना प्रतिक्रमणकं चैतत्तु मिश्रं तु ॥९॥ અqયાર્થ: રૂથ અહીં=સંયમજીવનમાં સાફસુ શબ્દાદિ વિષયક સિં પિ માવો થોડા પણ રાગાદિભાવથી ની તુ દો મિશ્ર જ (પ્રાયશ્ચિત્ત) થાય છે તુ આકમિશ્ર પ્રાયશ્ચિત્ત વળી ગાયબ ડિળિયં જ આલોચના અને પ્રતિક્રમણ (ઉભયરૂપ) છે. ગાથાર્થ: સંયમજીવનમાં શબ્દાદિ વિષયક ઇશ પણ રાગાદિ ભાવથી મિશ્ર જ પ્રાયશ્ચિત્ત થાય છે. વળી મિશ્ર પ્રાયશ્ચિત્ત આલોચના અને પ્રતિક્રમણ ઉભયરૂપ છે. ભાવાર્થ: સંયમમાં યત્નવાળા સાધુને પણ પાંચ ઇન્દ્રિયોના કોઇપણ વિષયની પ્રાપ્તિથી જો સહેજ પણ રાગ કે દ્વેષનો સ્પર્શ થાય, તો તેની શુદ્ધિના ઉપાય તરીકે ભગવાને મિશ્ર પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. બીજા પ્રાયશ્ચિત્તમાં ઉપયોગની શિથિલતાને કારણે અસમિતિ આદિનો પરિણામ થયેલો હોય છે, પરંતુ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોને આશ્રયીને થોડો પણ રાગાદિનો પરિણામ હોતો નથી. જ્યારે ત્રીજા મિશ્ર પ્રાયશ્ચિત્તમાં બાહ્ય નિમિત્તને પામીને ઉપયોગમાં જો રાગાદિનો લેશ પણ સ્પર્શ વ્યક્ત દેખાય, તો તે સ્થાનમાં સાધુને મિશ્ર પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. મિશ્ર પ્રાયશ્ચિત્તમાં દોષોની સમ્યગું આલોચના કરીને થયેલા રાગાદિ ભાવોને આશ્રયીને “મિચ્છામિ દુક્કડ” આપવાપૂર્વક, ફરી રાગાદિ ભાવ ઉત્પન્ન ન થાય તેવો દઢ યત્ન કરવાનો હોય છે. આવો દઢ યત્ન જ આલોચનાપૂર્વક પ્રતિક્રમણરૂપ મિશ્ર પ્રાયશ્ચિત્ત છે. ll૧૬-લા અવતરણિકા: દસ પ્રાયશ્ચિત્તમાં ચોથા વિવેક પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - असणाइगस्स पायं अणेसणीयस्स कह वि गहियस्स । संवरणे संचाओ एस विवेगो उ नायव्वो ॥१०॥ अशनादिकस्य प्रायोनेषणीयस्य कथमपि गृहीतस्य । संवरणे संत्याग एष विवेकस्तु ज्ञातव्यः ॥१०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy