SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ 0 પ્રાયશ્ચિત્તવિંશિકાd. અoqયાર્થ: પરિણામ ચરણ પરિણામથી સદર વિય સહસા જ=સહસાત્કારના કારણે જગમિયાફમાવાન અસમિતિ આદિ ભાવના ગમનમાં માછીલુડલા મિચ્છા મિ દુક્કડના દાનથી જુ ફરી પાછા તમi તેમાં ગમન=ચારિત્રના પરિણામમાં આવવું (એ) ઊંડમાં પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત છે. જય પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ: ચરણ પરિણામથી સહસાત્કારના કારણે જ અસમિતિ આદિ ભાવની પ્રાપ્તિમાં “મિચ્છા મિ દુક્કડ”ના દાનથી ફરી પાછા ચારિત્રના પરિણામમાં આવવું, એ પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ સંયમયોગમાં અપ્રમાદભાવથી યત્ન કરતા મુનિને પણ અનાદિ ભવથી અભ્યસ્ત પ્રમાદને કારણે, સહસાત્કારથી સમિતિ અને ગુપ્તિમાં ક્યારેક ખલના થાય ત્યારે, ચારિત્રમાં અતિચાર લાગે છે. તેની શુદ્ધિ અર્થે ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડ” દેવામાં આવે, તો મુનિ ફરીથી તે અસમિતિ આદિ ભાવમાંથી નીકળીને ચારિત્રના પરિણામમાં આવે છે; તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. સંયમયોગમાં યત્ન કરનાર મુનિને પણ કોઈ હિંસક પશુ આદિ આવે ત્યારે, સંયમના ઉપકારી એવા દેહના રક્ષણ માટે અપવાદથી વૃક્ષાદિ ઉપર ચઢવાની ભગવાનની આજ્ઞા છે; અને તે પ્રમાણે કર્યા પછી પણ તેની શુદ્ધિ અર્થે “મિચ્છા મિ દુક્કડ” દેવાની વિધિ છે, જેથી અનાભોગથી પણ કોઈ ખલના થઈ હોય તો ચારિત્રના પરિણામ સ્થિર થાય છે.ll૧૬-૮ અવતણિકા: દસ પ્રાયશ્ચિત્તમાં ત્રીજા મિશ્ર પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - सद्दाइएसु ईसिं पि इत्थ रागाइभावओ होइ । आलोयणा पडिक्कमणयं च एयं तु मीसं तु ॥९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy