SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રાયશ્ચિત્તવિંશિકાd. ૧09 ગાથાર્થ: અધિક સંવેગથી થયેલા પાપનો ક્ષય થયે છતે, પાપશુદ્ધિની ક્રિયામાં પ્રાયશ્ચિત્તનું શું ફળ છે? (તેના જવાબરૂપે કહે છે) આલોચનાથી નાશ થયેલા પાપ કરતાં અધિક કર્મક્ષય થવાને કારણે ખરેખર તે પ્રકારે અધિક અધિક પાપનાશ દ્વારા પ્રાયશ્ચિત્તથી મોક્ષફલ થાય છે. ભાવાર્થ પૂર્વની વિંશિકામાં બતાવેલ કે જે પ્રકારના ભાવથી પાપ સેવ્યું હોય તેનાથી અિધિક સંવેગના પરિણામથી આલોચના કરવી જોઇએ. તે રીતે જો કોઇ જીવ અધિક સંવેગપૂર્વક આલોચના કરે તો થયેલા પાપનો નાશ તો આલોચનાથી જ થઈ જાય છે, તો પછી પાપશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરવાનું શું પ્રયોજન છે? કોઇને જો આવી શંકા થાય તો તેના જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે, આલોચનાકાળમાં જો કોઈને પાપ કરતાં અધિક સંવેગ ન થયો હોય તો પ્રાયશ્ચિત્તકાળમાં તે સંવેગની વૃદ્ધિ થવાથી કર્મનો નાશ થઈ શકે છે. જેમને વળી આલોચનાકાળમાં જ પાપ કરતાં અધિક સંવેગ થઈ ગયો હોય તો આલોચનાથી જ તે થયેલાં પાપો નાશ પામી જાય છે, આમ છતાં, આલોચના પછી પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો બીજાં નવાં કર્મોનો પણ ક્ષય થાય છે. આ રીતે નવા નવા કર્મોના ક્ષય દ્વારા ક્રમસર અધિક-અધિક શુદ્ધિ થવાને કારણે અંતે મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. તેથી પાપ થયા પછી તીવ્ર ભાવથી આલોચના કરનારને પણ પ્રાયશ્ચિત્તનું વિશેષ ફળ તો મળે જ છે. અહીં વિશેષ એ છે કે કોઇ જીવે પાપ કર્યા પછી આલોચના ન કરી હોય, પરંતુ તથાસ્વભાવે જ તથાવિધ નિમિત્તને પામીને અધિક સંવેગ પેદા થયો હોય, તો તે પાપનો ક્ષય થઈ જાય છે, આમ છતાં, તેણે વિશેષ શુદ્ધિ અર્થે પણ પ્રાયશ્ચિત્ત કરવું ઉચિત છે. આથી જ પ્રાયશ્ચિત્તકાળમાં ભાવનો પ્રકર્ષ થાય તો, સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષફળની પ્રાપ્તિ પણ કોઇક જીવને થઇ શકે છે. વળી ઘણા જીવો એવા પણ હોય છે કે, સમ્યક ભાવપૂર્વક આલોચના કરે છે, આમ છતાં પાપકાળના અધ્યવસાય કરતાં સંવેગનો અધ્યવસાય અધિક નહીં હોવાથી તેમનું પાપ નાશ ન પણ થયું હોય. પરંતુ જો સિદ્ધકર્મા ગુરુએ તેના પાપને અનુરૂપ જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે પ્રાયશ્ચિત્ત તે જ પ્રકારે કરે તો પ્રાયશ્ચિત્તકાળમાં વિશુદ્ધ અધ્યવસાયથી તે પાપ અવશ્ય નાશ પામે છે. તેથી જ આલોચના કર્યા પછી પણ પ્રાયશ્ચિત્ત આપવાનો વ્યવહાર પ્રવર્તે છે. I૧૬-૨થા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy