SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ 0 પ્રાયશ્ચિત્તવિંશિકાd ભાવાર્થ: આલોચનાવિંશિકામાં બતાવ્યું છે કે જે ભાવથી પાપ કરાયું હોય તેનાથી અધિક સંવેગપૂર્વક ત્રણેય શલ્યરહિત આલોચના કરવી જોઈએ. આ આલોચના સિદ્ધકર્મા ગુરુ પાસે કરવી જોઇએ. તેમના વડે અપાયેલા પ્રાયશ્ચિત્તના સમ્યગૂ સેવનથી પાપની શુદ્ધિ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે આલોચનાપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવામાં ન આવે, અને પાપ કર્યા પછી અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરવામાં આવે તો પણ શુદ્ધિ થાય નહીં. આ જ વાતને ગાથાના ઉત્તરાર્ધમાં દષ્ટાંતથી બતાવે છે. ભગવાન ઋષભદેવનાં પુત્રી બ્રાહ્મીનો જીવ, પૂર્વભવમાં પીઠમુનિ હતાં. તે પીઠમુનિના ભવમાં અન્ય સાધુના વૈિયાવચ્ચ ગુણની પ્રશંસા સાંભળીને તેમને ઈર્ષાનો પરિણામ થયો હતો. ત્યાર પછી તો તેઓ સંયમયોગમાં અપ્રમાદભાવવાળા હતા અને અંતમાં અનશન કરીને સર્વાર્થસિદ્ધમાં પણ ગયા. આનાથી એ પ્રાપ્ત થાય કે તેઓ ભાવથી મુનિભાવમાં હતા અને ઈર્ષાનો પરિણામ કર્યા પછી પણ સદા સુકૃત ભાવ કરતા હતા. આમ છતાં વ્યવહારનયને માન્ય એવું પ્રાયશ્ચિત્ત તેમણે કર્યું નહીં, તેથી બીજા ભવમાં તેમને સ્ત્રી અવતાર પ્રાપ્ત થયો. માટે પાપની શુદ્ધિ અર્થે સમ્ય આલોચનાપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવું આવશ્યક છે.JI૧૬-૧TI અવતરણિકા: પૂર્વ ગાથામાં કહ્યું કે તીવ્ર સંવેગપૂર્વક ભાવઆલોચના સહિત પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય છે. ત્યાં શંકા થાય કે પાપના પરિણામ કરતાં અધિક સંવેગના પરિણામથી પાપ નાશ થાય છે, તો પ્રાયશ્ચિત્તનું શું ફળ હોઇ શકે? તેથી કહે છે - अहिगा तक्खयभावे पच्छित्तं किं फलं इहं होइ । तदहिगकम्मक्खयभावओ तहा हंत मुक्खफलं ॥२॥ अधिकात् तत्क्षयभावे प्रायश्चित्तं किं फलमिह भवति । तदधिककर्मक्षयभावतस्तथा हन्त मोक्षफलम् ॥२॥ અoqયાર્થ: ગરિક અધિક (સંવેગથી) તરવયમાવે તેનો=થયેલા પાપનો ક્ષય થયે છતે ફૂ અહીં પાપશુદ્ધિની ક્રિયામાં જીિત્ત વિ રદ્દ પ્રાયશ્ચિત્તથી શું ફળ થાય છે? (તેના જવાબરૂપે કહે છે કે ...) તમિજવયમાવો તેનાથી=આલોચનાથી નાશ થયેલા પાપ કરતાં અધિક કર્મક્ષય થવાને કારણે દંત ખરેખર તહાં તે પ્રકારે=અધિક અધિક પાપ નાશ દ્વારા (પ્રાયશ્ચિત્તથી) મુd મોક્ષફલ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy