SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ CC આલોયણાવિંશિકાઓ चरणपरिणामधर्मे दुश्चरितमधुतिं दृढं करोति । कथमपि प्रमादावर्तितं यावन्नालोचितं गुरोः ॥१७|| અqયાર્થ: વરીપળામધખે ચરણપરિણામરૂપ ધર્મમાં વાદવિ કોઇ પણ રીતે પમાયાવય પ્રમાદથી આવર્તિત ટુર્ષિ દુષ્યરિત નાવ જ્યાં સુધી ગુન ગુરુ પાસે ન માનોર્થ આલોચિત નથી કરાતું ત્યાં સુધી ૪ દઢ વુિં અધૃતિને ળરૂ કરે છે. ગાથાર્થ: ચરણપરિણામરૂપ ધર્મમાં કોઇપણ રીતે પ્રમાદથી આવર્તિત દુષ્યરિત જ્યાં સુધી ગુરુ પાસે આલોચિત નથી કરાતું ત્યાં સુધી દઢ અધૃતિને કરે છે. ભાવાર્થ: ભગવાનના વચનાનુસાર ક્રિયાઓ કરવાથી આત્મભાવમાં વર્તવારૂપ ચરણ પરિણામ પ્રગટે છે. ઉચિત આચરણાઓ દ્વારા આ પરિણામ ક્રમસર વૃદ્ધિમાન થાય છે. આમ છતાં, અનાદિ ભવોના અભ્યાસને કારણે મુનિને પણ પ્રમાદને કારણે કોઇક રીતે આચરણામાં ખલનાઓ થઇ જાય છે. આ જ મુનિનું દુષ્યરિત છે. અતિ વિચારક મુનિને તો પોતાની સ્કૂલના એટલી ખટકતી હોય છે કે તેને કાળક્ષેપ કર્યા વગર તરત આલોચના કરવાનો પરિણામ થાય છે. આથી જ જ્યાં સુધી આવો મુનિ ગુરુ પાસે પોતાના દુગરિતની આલોચના નથી કરતો ત્યાં સુધી તેને અત્યંત અધૃતિ થાય છે. આનાથી એ કહેવું છે કે જેમના હૈયામાં ખરેખર ચારિત્રનો પરિણામ વર્તતો હોય તેવા મુનિઓ, પ્રાયઃ કરીને પ્રમાદ જ ના કરે; અને ક્વચિત્ તેમનાથી પ્રમાદ થઈ ગયો હોય તો જ્યાં સુધી આલોચના ન કરે ત્યાં સુધી થયેલા દોષો તેમને સતત ડંખતા હોય છે. કેમ કે તેઓ જાણે છે કે જો દોષોની શુદ્ધિ નહીં કરવામાં આવે તો સંસાર વૃદ્ધિ પામશે. માટે જ શકય એટલી શીઘ આલોચના કરવા તેઓ યત્ન કરે છે. ll૧૫-૧ળા અવતરણિકા: ગાથા - ૧૭માં બતાવ્યું કે થયેલું દુગરિત જ્યાં સુધી આલોચવામાં આવતું નથી ત્યાં સુધી તે ચારિત્રના પરિણામમાં દઢ અમૃતિને કરે છે. હવે તે આલોચના કઈ રીતે કરવી જોઈએ કે જેથી સાતિચાર મૃત્યુ ન થાય તે બતાવતાં કહે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy