SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 7 આલોયણાવિંશિકાત ગાથાર્થ: ભાવશલ્યોનો ઉદ્ધાર કરવામાં ન આવે તો દુર્લભબોધિપણું અને અનંતસંસારીપણું પ્રાપ્ત થાય છે, તે કારણથી ગારવથી રહિત એવા મુનિઓ પુનર્ભવલતાના મૂળ જેવા મિથ્યાત્વશલ્યને, માયાશલ્યને અને નિદાનશલ્યને ઉર્ધ્વરે છે. ભાવાર્થ: પૂર્વની ગાથામાં અનુરિત ભાવશલ્યની અનર્થકારિતા બતાવી. તે કારણથી જ ગારવરહિત મુનિઓ ત્રણે શલ્યોનો ઉદ્ધાર કરે છે. અહીં ગારવરહિત શબ્દથી સંબોધ પ્રકરણ ગ્રંથના આલોચના અધિકારની ગાથા-૨૪ પ્રમાણે લાદિ ગારવ ગ્રહણ કરવાના છે. સામાન્ય રીતે ગારવ શબ્દ રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના અર્થમાં પ્રસિદ્ધ છે. પરંતુ તે અર્થ અહીં અપ્રસ્તુત છે. તેથી અહીં તો એ કહેવું છે કે પોતાના થયેલા દુષ્ચરિતને યોગ્ય સ્થાને કહેવામાં લજ્જા રાખવી તે આલોચનામાં ગારવરૂપ દોષ છે. તેથી મુનિઓ તે લાગારવનો ત્યાગ કરી પોતાના દરેક દોષનું યથાર્થ પ્રકાશન કરે છે. આનાથી જ દોષ નહીં પ્રકાશન કરવારૂપ મિથ્યાત્વશલ્યનો ઉદ્ધાર થાય છે. પોતાના દોષનું પ્રકાશન કરવામાં પણ કંઇ ગોપવવાનો પરિણામ નહીં હોવાથી માયાશલ્યનો ઉદ્ધાર થાય છે, અને પોતાના દોષોને પ્રકાશન કરીને ભૌતિક રીતે ગુરુ પોતાને અનુકૂળ થાય તેવા પ્રકારનો ઇહલોક ફળ સંબંધી આશય નહીં હોવાથી, અને પરલોક સંબંધી કોઇ ભૌતિક આશય નહીં હોવાથી, નિદાનશલ્યનો ઉદ્ધાર થાય છે. ગારવરહિત મુનિઓને તો માત્ર પોતાના થયેલા દોષોની શુદ્ધિ કરીને દોષરહિત થવાનો આશય હોય છે. તેથી તેમને આલોચના દ્વારા શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. II૧૫-૧૬]] ૯૮ અવતણિકા : પૂર્વની ગાથાઓમાં કેવા ગુરુ પાસે આલોચના કરવી જોઇએ તે બતાવ્યા પછી, કેવા પરિણામપૂર્વક આલોચના કરવી જોઇએ તે ગાથા ૧૧માં બતાવ્યું. ત્યાં વચમાં કોઇ અન્યનો મત ઉપસ્થિત થયો કે ગુરુ પાસે આલોચના કર્યા વગર સ્વપરિણામથી જ શુદ્ધિ થઇ શકે છે. તે શંકાનું નિરાકરણ ગાથા-૧૨માં કર્યું, અને તે નિરાકરણમાં જ ઉપસ્થિત ત્રણ શલ્યોની વાત બતાવી. હવે તે આલોચના પણ કાળક્ષેપથી કરે તો શું થાય તે બતાવવા માટે કહે છે चरणपरिणामधम्मे दुच्चरियं अद्धिदं दढं कुणइ । कह वि पमायावट्टिय जाव न आलोइयं गुरुणो ॥ १७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy