SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 7 આલોયણાવિંશિકા ૯૪ અંદરમાં શલ્ય રાખીને ઉપરથી ઘાને રુઝાવવા માટેના ઔષધપ્રયોગ તુલ્ય છે, તે કારણથી આવા પશ્ચાત્તાપના પરિણામથી શુદ્ધિ થાય તે વાત બરાબર નથી. ભાવાર્થ: – કેટલાક આચાર્યો જ્ઞાનના ઉપયોગને પ્રાયશ્ચિત્તમય કરવામાં આવે તો દોષોની શુદ્ધિ થાય, તેમ માને છે. તેવું માનવાની પાછળ તેઓનો આશય એ છે કે દોષનું સેવન તે જીવના મલિન અધ્યવસાયરૂપ છે, અને પશ્ચાત્તાપના પરિણામવાળા જીવનો ઉપયોગ એ તેના વિરુદ્ધ અધ્યવસાયરૂપ છે. આથી પાપની વિરુદ્ધ ઉપયોગથી જ પાપની શુદ્ધિ થાય છે, અને તેથી જ તેઓના મતે ગુરુ આગળ દોષો પ્રકાશવાની કોઇ આવશ્યકતા રહેતી નથી. અન્ય આચાર્યના આવા અભિપ્રાયનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તે વાત બરાબર નથી. કારણ કે યોગ્ય ગુરુ પાસે પોતાના દોષોનું પ્રકાશન કરવાના અધ્યવસાય વગર માત્ર પશ્ચાત્તાપનો પરિણામ કરવો, એ શરીરમાં વાગેલા કાંટાને કાઢ્યા વગર ઉપરથી ઘાને પાટાપીંડી કરવા તુલ્ય છે. જેમ કાંટારૂપ શલ્યને કાઢ્યા વગર ઘાને પાટાપીંડી કરવામાં આવે તો ઘાને રુઝ આવતી નથી, તેમ યોગ્ય ગુરુ પાસે પોતાના દોષોના પ્રકાશનનો અધ્યવસાય કર્યા વગર માત્ર પ્રાયશ્ચિત્તનો પરિણામ કરવાથી શુદ્ધિ થતી નથી. યોગ્ય ગુરુ પાસે પોતાના દોષોના પ્રકાશનનો અધ્યવસાય વિદ્યમાન હોય, અને પછી પાપનું સ્મરણ કરીને પાપના પશ્ચાત્તાપવાળો અધ્યવસાય કરવામાં આવે તો શુદ્ધિ થાય છે, અન્યથા નહીં. તેથી અન્ય આચાર્યોનું તે કથન ઉચિત નથી. અહીં વિશેષ એ છે કે કોઇ પણ મત પ્રાયઃ કરીને કોઇક નયની અપેક્ષાએ હોય છે. આમ છતાં, જો તે નય સ્વસ્થાનને છોડીને અન્ય સ્થાનમાં યોજાય તો તે દુર્નય બને છે. પ્રસ્તુત સ્થાનમાં પણ કોઇક જીવને પાપ થયા પછી સહજ ભાવે પાપથી વિરુદ્ધ પશ્ચાત્તાપનો ઉત્કટ અધ્યવસાય થાય, તો તે પાપની શુદ્ધિ થાય છે. પરંતુ જો તે વ્યક્તિના મનમાં એવું જ હોય કે મારે તો યોગ્ય ગુરુ પાસે પાપના પ્રકાશન વગર શુદ્ધિ કરવી છે, તો એવા અધ્યવસાયથી શુદ્ધિ ન થઇ શકે. ક્યારેક વિશેષ સામગ્રીના અભાવને કારણે તેને, યોગ્ય ગુરુ પાસે મારે શુદ્ધિ કરવી જોઇએ તેવો બોધ ન પણ હોય, અને થયેલા પાપ પ્રત્યે સહજ પશ્ચાત્તાપનો અધ્યવસાય તીવ્ર બને તો, તેવા સ્થાનને આશ્રયીને ગુરુ આગળ પ્રકાશન વગર પણ શુદ્ધિ થઇ શકે; પરંતુ તિને તો શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિથી જ શુદ્ધિ કરવાની હોય છે. આમ છતાં, યતિ જો અન્ય આચાર્યોના મતનું અવલંબન લઇને ગુરુ આગળ પ્રકાશન કર્યા વગર શુદ્ધિ માટે યત્ન કરે, તો સશલ્ય વ્રણરોહણ તુલ્ય, અર્થાત્ તેના શરીરની અંદરમાં શલ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy