SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ 0 આલોયણાંવિંશિકાd. રાખીને ઉપરથી ઘાને રુઝાવવા માટેના ઔષધપ્રયોગ તુલ્ય પશ્ચાત્તાપનો પરિણામ કહેવાય છે. આવા સશલ્ય પશ્ચાત્તાપના પરિણામથી શુદ્ધિ થતી નથી. ૧૫-૧શા અવતરણિકા: ગાથા ૧૨માં કહ્યું કે યોગ્ય ગુરુ આગળ દોષોના પ્રકાશન વગર જ્ઞાનના ઉપયોગ માત્રથી પશ્ચાત્તાપનો પરિણામ કરીને શુદ્ધિ માટે યત્ન કરે, તો તે શલ્ય સહિત ઘાને રુઝાવવાની ક્રિયા તુલ્ય છે, તેથી હવે તે શલ્યો શું છે તે બતાવવા અર્થે કહે છે - अवराहा खलु सल्लं एयं मायाइभेयओ तिविहं । सव्वं पि गुरुसमीवे उद्धरियव्वं पयत्तेण ॥१३।। अपराधाः खलु शल्यमेतन्मायादिभेदतस्त्रिविधम् । सर्वमपि गुरुसमीप उद्धर्तव्यं प्रयत्नेन ॥१३।। અqયાર્થ: સર્ણ થતુ શલ્ય ખરેખર નવરાહ અપરાધો છે. માથાફમેયમો માયાદિ ભેદથી તિવિહં ત્રણ પ્રકારનાં સવં જ સર્વ પણ યં આ=શલ્ય ગુરુસની ગુરુ પાસે પણ પ્રયત્નથી વયિત્રં ઉદ્ધરણ કરવાં જોઇએ. ગાથાર્થ: શલ્ય ખરેખર અપરાધો છે. માયાદિ ભેદથી ત્રણ પ્રકારનાં સર્વ પણ આ શલ્યો ગુરુ પાસે પ્રયત્નથી ઉદ્ધરણ કરવાં જોઇએ. ભાવાર્થ: સંયમમાં યત્ન કરનાર વડે પ્રમાદાદિથી કોઇ સ્કૂલના થઇ હોય, અને તે સ્કૂલનાને યોગ્ય ગુરુની પ્રાપ્તિ થયા પછી તેમની પાસે પ્રગટ કરવાનો અધ્યવસાય ન થાય, તો તે વિપર્યાસરૂપ હોવાથી મિથ્યાત્વશલ્ય બને છે. જો યોગ્ય ગુરુ પાસે પ્રકાશન કરવાનો આશય હોય છતાં તેનું પ્રકાશન યથાર્થ ન થાય, તો તે માયાશલ્ય બને છે. અપરાધ થયા પછી હું મારા અપરાધો ગુરુને યથાર્થ કહું જેથી મારા ઉપર ગુરુની વિશેષ કૃપા થાય, તે પ્રકારના આશયથી, અથવા તો ગુરુ-પાસે સમન્ આલોચન કરીને ભવાંતરમાં કોઇક ભૌતિક સુખો મને મળે, એ પ્રકારના આશયથી અપરાધોનું યથાર્થ પ્રકાશન થાય, તો પણ તે નિદાનશલ્ય બને છે. આ ત્રણે શલ્યો અપરાધરૂપ જ છે. આ ત્રણે શલ્યો અનંતાનુબંધી કષાયના ઉદયથી જ થાય છે, અને તેથી જ આગળમાં કહેવાના છે કે ભાવશલ્યનો ઉદ્ધાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy