________________
0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ :
મરિમારિયડ્રેસું અચરમાવર્તમાં ત્નિો કાળ મવવત્નત્નમો ભવબાળકાળ મોિ કહેવાયો છે, ૩ વળી તદ ચિત્તો તેવા પ્રકારે ચિત્રભેદવાળો રિપો ચરમાવર્ત ધર્મનુષ્યનક્ષત્નો ત્તિ ધર્મયૌવનકાળ એ પ્રમાણે (કહેવાય છે).
ગાથાર્થ :
અચરમાવર્તમાં કાળ ભવબાળકાળ કહેવાયો છે, વળી તેવા પ્રકારના ચિત્રભેટવાળો ચરમાવર્ત ધર્મયૌવનકાળ એ પ્રમાણે કહેવાય છે.
ભાવાર્થ :
બાલ્ય અવસ્થામાં જીવો જેમ કોઈ જાતની વિચારણા વગર જે જાતની રમતગમતની મનોવૃત્તિ થાય છે તેમ જીવે છે, તે જ રીતે અચરમાવર્તી જીવો પણ જે પ્રકારની ઈન્દ્રિયોની પ્રેરણા થાય છે તે પ્રકારે જીવવાની વૃત્તિવાળા હોય છે, તેથી અચરમાવર્તને ભવબાળકાળ કહેવાય છે.
ક્યારેક અચરમાવર્તકાળમાં પણ જીવ ધર્મ કરે છે અને તેનાથી ઉત્કૃષ્ટ નવમું રૈવેયક પણ મેળવે છે છતાં ત્યાં ભવનો બાલકાળ જ સ્વીકારેલ છે, તેનું કારણ અચરમાવર્તમાં જીવને ક્યારેક તીર્થકરાદિનો યોગ થાય છે તેના કારણે ભૌતિક સુખનો ઉપાય આ સંયમ જ છે એમ દેખાય છે તેથી જ સંયમયત્ન કરે છે; પરંતુ આત્માના ગુણોનું આકર્ષણ ત્યાં થતું નથી, તેથી જ તેમનો ધર્મ ક્યારે પણ મોક્ષસાધક બનતો નથી અને બાહ્ય તુચ્છ વિષયોના આકર્ષણથી જ ધર્મની પ્રવૃત્તિ હોવાના કારણે તેઓ તત્ત્વદૃષ્ટિએ બાળ જેવા જ છે.
જેમ યુવાવસ્થામાં હિતાહિતની વિચારણા પ્રગટે છે અને ધનસંપત્તિઆદિ માટે ઉચિત પ્રયત્ન કરાય છે, તેમ ચરમાવર્તી જીવોને પણ નિમિત્તાદિને પામીને તત્ત્વાતત્ત્વની વિચારણા પ્રગટે છે, અને આત્મહિત સાધવાની મનોવૃત્તિ પ્રગટે છે; અને તે મનોવૃત્તિ દરેક જીવને જુદા જુદા પ્રકારની હોય છે. આથી જ કોઈક અપ્રમાદથી ધર્મમાં યત્ન કરનારા હોય છે અને કોઈક અનેક સ્કૂલનાથી યત્ન કરનારા હોય છે. તેથી ચરમાવર્તન ચિત્રભેટવાળો ધર્મયૌવનકાળ કહેવાય છે.I૪-૧૯l
અવતરણિકા :
ચરમાવર્ત બહારના જીવો પણ ધર્માનુષ્ઠાનો કરતા હોય છે, પરંતુ તેઓના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org