________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઇ ચરમપરિવર્તવિંશિકા ઇ
ત્યારપછી‘રૂમેળ’ શબ્દથી કહ્યું કે આના વડે અર્થાત્ ભવ્યત્વ વડે અતુલ્યદર્શનાદિ નથી એમ નહીં. તેનો ભાવ એ છે કે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ભવ્યત્વના પરિપાકરૂપ છે અને તે દર્શનાદિ પરિપાક પામીને સિદ્ધિગમનરૂપ ફળમાં પર્યવસાન પામે છે, અને દર્શનાદિ ભવ્યત્વના પરિપાકરૂપ જ છે એટલે પરિપાકમાં થતી ભિન્નતાનું કારણ પણ ભવ્યત્વની ભિન્નતા છે તેમ માનવું પડે. કેમ કે ભવ્યત્વ બધાનું સરખુ જ હોય તો પરિપાક પણ સરખો જ થવો જોઇએ તેથી જે જે પ્રકારે ભવ્યત્વનો પરિપાક થાય છે તે તે પ્રકારનું ભવ્યત્વ પણ જુદું છે જ. જો ભવ્યત્વરૂપ કારણ સમાન જ હોય તો પરિપાકરૂપ કાર્ય પણ સમાન જ થવું જોઇએ અને કાર્ય જુદું દેખાય છે તેથી ભવ્યત્વરૂપ કારણ પણ જુદું છે જ. એનાથી એ પ્રાપ્ત થાય કે ભવ્યત્વ પણ અતુલ્યદર્શનાદિમાં તે પ્રકારે હેતુ છે, અર્થાત્ જે જે જીવમાં જે જે પ્રકારે દર્શનાદિ થાય તે તે પ્રકારે દર્શનાદિ કરવામાં તે તે જીવનું ભવ્યત્વ પણ કારણ છે. તેથી કરીને આ ભવ્યત્વ તેવા ભાવવાળું જાણવું, અર્થાત્ જેવા પ્રકારનું દર્શનાદિરૂપ કાર્ય થાય છે તેવા ભાવવાળું જાણવું.
આનાથી એ ફલિત થયું કે જે જીવમાં જેવા જેવા દર્શનાદિ થાય તેવા તેવા ભાવવાળું તેનું તથાભવ્યત્વ જુદું છે. દરેક જીવનું તથાભવ્યત્વ તેને અનુરૂપ પુરુષકારાદિ સામગ્રી મેળવીને, તેવા તેવા પ્રકારના દર્શનાદિ પામીને, મોક્ષરૂપ ફળમાં વિશ્રાન્ત પામે છે.II૪-૧૮
૩
અવતરણિકા :
આ રીતે ગાથા-૧૮માં દરેક જીવમાં તથાભવ્યત્વ જુદું છે તે સિદ્ધ કર્યું અને તેનાથી એ પ્રાપ્ત થયું કે દરેક જીવનો ચરમાવર્તકાળ પોતાના ભવ્યત્વને અનુરૂપ ભિન્ન ભિન્ન કાળમાં આવે છે અને ચરમાવર્તકાળ પહેલાંનો સર્વ કાળ અચરમાવર્તકાળ છે, તેથી ચ૨માવર્તકાળવર્તી અને અચ૨માવર્તકાળવર્તી જીવોનું સ્વરૂપ કેવું છે, તે બતાવતાં કહે છે
अचरिमपरियट्टेसुं कालो भवबालकालमो भणिओ । चरिमो उ धम्मजुव्वणकालो तह चित्तभेओ ति ॥ १९ ॥ अचरमपरिवर्तेषु कालो भवबालकालो भणित: चरमस्तु धर्मयौवनकालस्तथा चित्रभेद इति 118811
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org