________________
0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
અવતરણિકા :
ગાથા-૧૭માં દરેક જીવનું ભવ્યત્વ સર્વ હેતુથી તુલ્ય નથી તે બતાવ્યું. હવે ભવ્યત્વ અને તથાભવ્યત્વ વચ્ચેનો ભેદ બતાવીને દરેક જીવના ભવ્યત્વને વિલક્ષણ સ્વીકારવાની યુક્તિ બતાવે છે
न इमो इमेसि हेऊ, न य णातुल्ला इमेण, एयं पि । एएसिं तहाहेऊ, ता तहभावं इमं नेयं ॥१८॥ नाऽयमेतेषां हेतुर्न च नातुल्या अनेनैतदपि । एतेषां तथाहेतुस्ततस्तथाभावमिदं ज्ञेयम् ॥१८।।
અન્વયાર્થ
રૂરિ આમાં અતુલ્ય એવા દર્શનાદિમાં રૂમો આ=ભવ્યત્વ દે હેતુ જ નથી, અને રૂપા એના વડે=ભવ્યત્વ વડે તુ ન દર્શનાદિ અતુલ્ય નથી એવું પણ) નથી. યં પિ આ પણ=ભવ્યત્વ પણ સિઆમાં અતુલ્ય દર્શનાદિમાં તાહે તેવા પ્રકારનો હેતુ છે, તો તેથી કરીને તમાવે તેવા પ્રકારના ભાવવાળું રૂ આ ભવ્ય નેયં જાણવું.
છે. અહીં uિ'માં મપિ'થી એ બતાવવું છે કે જેમ પુરુષકાર આદિ કારણો દર્શનાદિની અતુલ્યતામાં કારણ છે, તેમ ભવ્યત્વ પણ કારણ છે.
ગાથાર્થ :
અતુલ્ય એવા દર્શનાદિમાં ભવ્યત્વ હેતુ નથી, અને ભવ્યત્વ વડે દર્શનાદિ અતુલ્ય નથી એવું પણ નથી. ભવ્યત્વ પણ અતુલ્ય દર્શનાદિમાં તેવા પ્રકારે હેતુ છે, તેથી કરીને તેવા પ્રકારના ભાવવાળું આ અર્થાત્ ભવ્યત્વ જાણવું.
ભાવાર્થ :
પ્રથમ સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વને “રૂ' શબ્દથી ગ્રહણ કરીને કહ્યું કે અતુલ્ય એવા દર્શનાદિમાં ભવ્યત્વ હેતુ નથી, કેમ કે સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ સિદ્ધગમનનો હેતુ છે, પરંતુ અતુલ્ય એવા દર્શનાદિનો હેતુ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org