________________
૮૧
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન g ચરમપરિવર્તવિંશિકા / ચરમાવર્તન પામતા નથી અને ભિન્ન ભિન્ન કાળમાં ચરમાવર્તન પામીને ભિન્ન ભિન્ન કાળે મોક્ષમાં જાય છે, તેનું કારણ શું છે? તે બતાવવા અર્થે કહે છે
न य सव्वहेउतुल्लं भव्वत्तं हंदि सव्वजीवाणं । जं तेणेवक्खित्ता नो तुल्ला दंसणाईया ॥१७॥ न च सर्वहेतुतुल्यं भव्यत्वं हंति सर्वजीवानाम् । यत्तेनैवाक्षिप्ता ततो नो तुल्या दर्शनादिकाः ॥१७।।
અન્વયાર્થ :
ય અને નં જે કારણથી તેવવિદ્વત્તા તેના વડે જ=ભવ્યત્વ વડે જ આક્ષિપ્ત તુચ્છ વંસUTટ્ટા તુલ્ય દર્શનાદિ નો નથી (તે કારણથી) સળંગવાઈ સર્વ જીવોનું સળંદે તુક્કે સર્વ હેતુથી તુલ્ય મવૃત્ત ભવ્યત્વ ન હૃદ્ધિ નથી.
ગાથાર્થ :
અને જે કારણથી ભવ્યત્વ વડે જ આક્ષિત તુલ્ય દર્શનાદિ નથી, તે કારણથી સર્વ જીવોનું સર્વ હેતુથી તુલ્ય ભવ્યત્વ નથી.
ભાવાર્થ :
મોક્ષમાં જવા યોગ્ય જીવોનું ભવ્યત્વ ભવ્યત્વરૂપે દરેકનું સમાન છે, તો પણ તે તે સામગ્રીનું આક્ષેપક એવું ભવ્યત્વ દરેક વ્યક્તિનું જુદું છે, તે બતાવવા માટે જ ભવ્યત્વનું વિશેષણ સર્વોતુતુલ્ય મૂકેલું છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે સિદ્ધિમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ દરેક જીવોમાં સરખું હોવા છતાં, પુરુષકાર-કર્મ આદિ અન્ય કારણોનું આક્ષેપક ભવ્યત્વ દરેક જીવોનું જુદું છે. તેથી તે પ્રકારના ભવ્યત્વથી આક્ષિપ્ત દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ બધાને જુદાં પ્રાપ્ત થાય છે, અર્થાત્ કોઈકને ભિન્ન ભિન્ન કાળમાં દર્શનાદિ થાય છે, તો કોઈકને ત્રણે સાથે થાય છે અને કોઈકને સમ્ય દર્શનમાં પણ વરબોધિની પ્રાપ્તિ થાય છે. તેથી જ કોઈક તીર્થકર-ગણધરાદિ થઈને ભિન્ન ભિન્ન કાળમાં મોક્ષરૂપ ફળને પામે છે. વળી જો સર્વ રીતે ભવ્યત્વ સરખું હોત તો બધાનો ચરમાવર્ત પણ એક કાળમાં જ પ્રાપ્ત થાય, અને સરખી રીતે બધા મોક્ષમાં જાય, પરંતુ તેવી જગતની વ્યવસ્થા દેખાતી નથી; એનાથી જ સિદ્ધ થાય છે કે દરેક જીવનું ભવ્યત્વ જુદા પ્રકારનું છે.lla૧૭ll
V-૭ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org