________________
૮૦
0 ચરમપરિવર્તવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન તે પ્રમાણે રૂદ્મ વિ આ પણ= તથાભવ્યત્વ પણ તેvi તેના વડે કાળ વડે (આક્ષિત છે). તિ=પાદપૂર્તિ માટે છે. ફેય આ રીતે સરિ સર્વ દે હેતુઓનું સુત્રાવિવું રૂવું અન્યોન્ય અપેક્ષાવાળું રૂપ છે. મૂળમાંતિ પાઠ છે, (વિ) પાઠ મળ્યો નથી, પરંતુ અન્વયની દષ્ટિએ આ અર્થ ભાસે
છે.
ગાથાર્થ :
તથાભવ્યત્વથી આક્ષિપ્ત જે પ્રમાણે કાળ છે, તે પ્રમાણે તથાભવ્યત્વ પણ કાળ વડે આક્ષિત છે. આ રીતે સર્વ હતુઓનું અન્યોન્ય સાપેક્ષપણું છે.
વ
-
ભાવાર્થ
દરેક જીવનું જેવા પ્રકારનું ભવ્યત્વ છે તે પ્રમાણે તે જીવો જુદા જુદા કાળમાં ચરમાવર્તને પ્રાપ્ત કરે છે, અને તથાભવ્યત્વ એટલે જેવું કાર્ય થાય તેવા પ્રકારનું ભવ્યત્વ. તેથી જ્યારે ચરમાવર્ત પ્રાપ્ત થાય છે ત્યારે ચરમાવર્તને પ્રાપ્ત કરાવે તેવું તે જીવનું તથાભવ્યત્વ છે એમ કહેવાય, અને તેથી તથાભવ્યત્વથી આક્ષિતઃખેંચાયેલો, ચરમાવર્તકાળ છે. અને તે જ રીતે તથાભવ્યત્વ પણ કાળથી આક્ષિપ્ત=ખેંચાયેલુ છે, અર્થાત્ તે કાળમાં જ તથાભવ્યત્વ ચરમાવર્તરૂપે પરિણામ પામ્યું અન્ય કાળમાં નહીં, એટલે તે કાળવડે તથાભવ્યત્વ ચરમાવર્તરૂપે પરિણામ પામ્યું.આ રીતે સર્વ કારણોનો પરસ્પર સાપેક્ષ ભાવ છે.
અહીં પ્રસ્તુતમાં તથાભવ્યત્વ અને કાળનું અન્યોન્ય સાપેક્ષપણું બતાવ્યું તેના આધારે તેવી જ રીતે પાંચ કારણોને પરસ્પર સાપેક્ષ સમજવાં. જેમ માટી ઘટરૂપે પરિણામ પામે છે તેમાં કુંભારના પ્રયત્નની અપેક્ષા રાખે છે, અને કુંભારનો પ્રયત્ન દંડ-ચક્રાદિને આધીન છે. તેથી માટીને ઘટરૂપે પરિણામ પમાડવામાં કુંભારનો પ્રયત્ન, દંડ, ચક્ર, ચીવર વગેરે એક બીજાની અપેક્ષા રાખીને કામ કરે છે, તેમ કાર્યમાત્ર પ્રત્યે સ્વભાવાદિ પાંચ કારણો પરસ્પર અપેક્ષા રાખીને કાર્ય કરે છે.II૪-૧૬ll
અવતરણિકા :
ગાથા-૧૬માં બતાવ્યું કે તથાભવ્યત્વ અને કાળને એકબીજાની અપેક્ષા છે, ત્યાં પ્રશ્ન થાય કે જો સર્વ જીવોનાં તથાભવ્યત્વ અને કાળને અન્યોન્ય અપેક્ષા હોય તો સર્વ જીવોનો ચરમાવર્ત એક કાળે જ પ્રાપ્ત થવો જોઈએ, પરંતુ સર્વ જીવો એક કાળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org