________________
96
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D ચરમપરિવર્તવિંશિકા 0 કાળમર્યાદા પછી કાર્ય નિષ્પન્ન થાય છે, તે દષ્ટિથી વિચારીએ તો કાર્યના વિલંબમાં કાળ જ મુખ્ય કારણ છે અને તે ઈતર સર્વ કારણોની અપેક્ષા રાખે છે.
તેવી જ રીતે અન્ય સ્થાને વિચારીએ તો ભવ્ય જીવ પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં સહજમલનો કંઈક નાશ કરે છે અને એ જ ક્રમથી ચરમપુદ્ગલપરાવર્તની પ્રાપ્તિ કરે છે,
ત્યાં પણ જીવનો તે તે પ્રકારનો અંતરંગ યત્ન વર્તે છે, તેથી વિપર્યાસની અનુબંધ શક્તિ પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં કંઈક ઘટે છે. તેથી ચરમપુગલપરાવર્તની પ્રાપ્તિમાં તેનો અંતરંગ યત્ન પણ કારણ છે. પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં જીવ તે તે ભવમાં તે તે નિમિત્ત પ્રાપ્ત કરીને તેવો તેવો ભાવ કરે છે, અને તે નિમિત્તોની પ્રાપ્તિમાં કર્મ કારણ બને છે, તેથી તે અધ્યવસાયમાં કારણભૂત નિમિત્તની પ્રાપ્તિ દ્વારા કર્મ કારણ બને છે. વળી જીવનો તેવા પ્રકારનો ભવ્યત્વ સ્વભાવ છે, આથી જ પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં કંઈક સહજમલ નાશ થાય તેવો પરિણામ તેનામાં ઊઠે છે, જે બતાવે છે કે ચોક્કસકાળે ચરમાવર્તને અનુકૂળ તેટલા કર્મનો હ્રાસ કરી શકે તેવો જીવનો સ્વભાવ પણ કારણ છે.વળી જે જે પ્રકારે પ્રત્યેક પુલપરાવર્તમાં વિશુદ્ધિ કરીને ચોક્કસ સમયે જીવ ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રવેશે છે, તે જ વખતે ચરમપુદ્ગલપરાવર્તને પ્રાપ્ત કરવું નિશ્ચયદષ્ટિથી નિયત હતું, તે અપેક્ષાએ ચરમાવર્તની પ્રાપ્તિ પ્રત્યે નિયતિ પણ કારણ છે. આમ છતાં, ચરમાવર્તની પ્રાપ્તિ પ્રત્યે કાળ જ મુખ્ય કારણ છે; અને આથી જ ઈતર સર્વ કારણોના સર્ભાવથી સહિત એવો કાળ દરેક જીવમાં જુદો જુદો પ્રાપ્ત થાય છે, અને જે જીવનો જયારે કાળ" પાકે ત્યારે જ તેને ચરમાવર્તની પ્રાપ્તિ થાય છે.ll૪-૧૫
અવતરણિકા :
ગાથા-૧૫માં બતાવ્યું કે સર્વ કારણોમાં ઈતરેતર સાપેક્ષ એવું વિશિષ્ટપણું છે. હવે તે ઈતરેતર સાપેક્ષ કઈ રીતે છે, તે બતાવતાં કહે છે
तहभव्वत्तक्खित्तो जह कालो तह इमं ति (वि) तेणं ति । इय अन्नुन्नाविक्खं रूवं सव्वेसि हेऊण ॥१६॥ तथा भव्यत्वाक्षिप्तो यथा कालस्तथैतदिति(पि)* तेनेति । इत्यन्योन्यापेक्षं रूपं सर्वेषां हेतूनाम् ॥१६।।
અન્વયાર્થ :
તમવૈશ્વિો તથાભવ્યત્વથી આક્ષિપ્ત
જે પ્રમાણે ત્નિો કાળ (છે) તહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org