________________
7 ચરમપરિવર્તવિંશિકા 7
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૭૮
કહ્યું, તે કથનમાં સમયપસિદ્ધા વિ સમયપ્રસિદ્ધ જ મુળપત્તી મગનું પાચન નાયમ્ દૃષ્ટાંત છે.વૃત્તિ એથી કરીને માવિયવ્યું ભાવન કરવું જોઈએ કે સવ્વસુ સર્વમાં=પાંચે કારણોમાં રેવરમાવાવિવાં ઈતરેતરભાવસાપેક્ષ એવું વિસિદ્ધત્તે વિશિષ્ટપણું છે, અર્થાત્ દરેક કારણ સ્વથી ઈતર યાવત્ અન્ય કારણોના સદ્ભાવની અપેક્ષા રાખીને કાર્ય કરે છે, તે રૂપ વિશિષ્ટપણું દરેક કારણમાં છે
ગાથાર્થ :
પાંચ કારણોનો સમુદાય સમ્યક્ત્વ છે એ પ્રમાણે જે ગાથા-૧૪માં કહ્યું, તે કથનમાં સમયપ્રસિદ્ધ જ મગનું પાચન દષ્ટાંત છે. એથી કરીને ભાવન કરવું જોઈએ કે પાંચે કારણોમાં ઈતરેતરભાવસાપેક્ષ એવું વિશિષ્ટપણું છે, અર્થાત્ દરેક કારણ સ્વથી ઈતર યાવત્ અન્ય કારણોના સદ્ભાવની અપેક્ષા રાખીને કાર્ય કરે છે, તે રૂપ વિશિષ્ટપણું દરેક કારણમાં છે.
ભાવાર્થ:
૧
કોઈ વ્યક્તિ મગને રાંધવાનો પ્રયત્ન કરે છે ત્યારે કોરડું મગ હોય તો તે મગમાં રંધાવાનો સ્વભાવ હોતો નથી, તેથી તે મગમાંથી ચઢેલા મગસ્વરૂપ કાર્યની પ્રાપ્તિ થતી નથી,પરંતુ જે મગ રંધાઇ શકે તેવા સ્વભાવવાળા હોય, તેમાં રાંધવાની ક્રિયા કરવામાં આવે તો રંધાયેલા મગની પ્રાપ્તિ થાય છે. તેથી ત્યાં મગનો રંધાવાનો સ્વભાવ રંધાયેલા મગની પ્રાપ્તિસ્વરૂપ કાર્ય પ્રતિ કારણ છે.આ જ મગ રાંધવાની ક્રિયામાં, રાંધનાર વ્યક્તિનો પ્રયત્ન તે પુરુષકા૨ સ્થાને છે અને તે રંધાયેલા મગને જે વ્યક્તિ ખાય છે તેનું પુણ્ય ત્યાં સહકારરૂપે છે. રંધાવાને અનુકૂળ સર્વ સામગ્રીની પ્રાપ્તિ થાય છે અને વચમાં કોઈ વિઘ્ન પ્રાપ્ત થતું નથી તે સર્વમાં ખાનાર વ્યક્તિનું કર્મ કારણ બને છે. આ જ મગ પહેલાં રાંધવા માટે ગ્રહણ ન થયા અને અત્યારે જ કેમ ગ્રહણ થયા? ત્યાં તે મગનો રંધાવાને અનુકૂળ કાળઃ પાક્યો છે તેમ કહેવાય છે, અને રાંધનાર વ્યક્તિએ આ જ મગને ગ્રહણ કર્યા અન્ય મગને કેમ નહિ? ત્યાં તે મગની ભવિતવ્યતાપ કારણ
છે.
આ સર્વ ક્રિયા પ્રત્યે રાંધનાર વ્યક્તિનો પ્રયત્ન પ્રધાનરૂપે કારણ હોય છે અને તેની પાછળ ઈતર સર્વ કારણો પ્રવર્તતાં હોય છે, તેથી ઈતર સર્વ કારણોના સદ્ભાવ સાપેક્ષ રાંધનારનો પ્રયત્ન, રંધાયેલા મગની પ્રાપ્તિમાં કારણ છે. અને તે જ દૃષ્ટાંતમાં રાંધવાની ક્રિયાનો પ્રારંભ થયા પછી બીજી જ ક્ષણમાં કાર્ય થતું નથી, પરંતુ ચોક્કસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org