________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
D ચરમપરિવર્તવિંશિકા .
અન્વયાર્થ :
તત્ તે કારણથી=ગાથા-પમાં કહ્યું કે ચરમપુદ્ગલપરાવર્ત નીતિથી ઘટે છે તે કારણથી રૂથ અહીંયાં=સંસારમાં માથામો આત્મગત એવો તUસિહોવો તત્ ગ્રહણસ્વભાવ=પુદ્ગલને ગ્રહણ કરવાનો સ્વભાવ સસ્થહિં શાસ્ત્રકારોવડે સહક્કો મનુ ત્તિ સહજમલ એ પ્રમાણે મારું કહેવાયો છે (અને) [ તવેગો આ, તેનો સહજમલનો ક્ષય, અશ્વત્તે ભવ્યત્વ છે.
છે. અહીં શ્લોકના પ્રારંભમાં જે “તત્' શબ્દ છે તે ગાથા-પના પૂર્વાર્ધનો પરામર્શક છે અને ‘તમાત્' અર્થક છે. તેથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રનીતિથી ચરમપુદ્ગલપરાવર્ત ઘટે છે તે કારણથી “પો'=આ=બુદ્ધિમાં ઉપસ્થિત એવો તેનો ક્ષય=સહજમલનો ક્ષય, ભવ્યત્વ છે, આ પ્રમાણે અન્વય છે. વળી ગાથા-૪માં બતાવેલ કે આત્માનો પુદ્ગલને ગ્રહણ કરવાનો સ્વભાવ છે અને તેના કારણે પુગલપરાવર્તન થાય છે, તેથી આ ગાથામાં તે પુદગલગ્રહણનો સ્વભાવ શું પદાર્થ છે તે બતાવતાં કહે છે કે, આત્મામાં રહેલો જે પુદ્ગલગ્રહણસ્વભાવ છે, તેને શાસ્ત્રકારો વડે સહજમલ એ પ્રમાણે કહેવાય
ગાથાર્થ :
ગાથા-પમાં કહ્યું કે ચરમ પુદ્ગલપરાવર્ત નીતિથી ઘટે છે, તે કારણથી સંસારમાં આત્મગત એવા પુદ્ગલ ગ્રહણ કરવાના સ્વભાવને શાસ્ત્રકારોવડે સહજમલ એ પ્રમાણે કહેવાયેલો છે અને આ સહજમલનો ક્ષય એ ભવ્યત્વ છે.
ભાવાર્થ :
સામાન્ય રીતે ભવ્યત્વ એ મોક્ષે જવાની યોગ્યતાસ્વરૂપ જીવન અનાદિ પારિણામિકભાવરૂપે પ્રસિદ્ધ છે અને અહીં સહજમલના ક્ષયરૂપે ભવ્યત્વને કહીએ તો ભવ્યત્વ અનાદિ પારિણામિકભાવરૂપે કઈ રીતે ઘટે? એવી શંકા થાય તેનું તાત્પર્ય એ ભાસે છે કે જગતમાં કેટલાક જીવો ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે અને તેમનામાં રહેલું ભવ્યત્વ કે અભવ્યત્વ તે જીવના અનાદિ પારિણામિકભાવરૂપ જ છે. પરંતુ દરેક ભવ્ય જીવમાં રહેલો જે સહજમલ છે તે અનાદિકાળથી પ્રતિ પુદ્ગલપરાવર્તે ઘટે છે, અને આમ ઘટતાં ઘટતાં ચરમપુદ્ગલપરાવર્તમાં સહજમલનો હ્રાસ એક ચોક્કસ ભૂમિકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org