________________
૬૬
0 ચરમપરિવર્તવિશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ :
આ રીતે ચરમ પણ પુદ્ગલપરાવર્ત યુક્તિથી ઘટે છે. વળી આવું ન માનો તો જીવવડે પુદ્ગલ ગ્રહણ કરવાનો જે સ્વભાવ છે તેના ક્ષયથી વર્જિત જેમ સર્વ પણ પુદ્ગલપરાવર્તે છે, તેમ ચરમપુદ્ગલપરાવર્ત પણ કેમ નથી?
ગાથાના ઉત્તરાર્ધમાં તત્તરૂહીવરઘયજ્ઞો ' માં જે તત્ તત્ 'શબ્દ છે તેમાં પ્રથમ તત્ શબ્દ જીવનો પરામર્શક છે અને બીજો ‘ત' શબ્દ પુદ્ગલગ્રહણનો પરામર્શક છે, અને તેનાથી એ પ્રાપ્ત થાય કે જીવ વડે પુદ્ગલગ્રહણનો જે સ્વભાવ છે તેના ક્ષયથી વર્જિત સર્વ પુદ્ગલપરાવર્તે છે. ભાવાર્થ -
ગાથા-૪માં બતાવ્યું કે જીવનો પુગલને ગ્રહણ કરવાનો સ્વભાવ છે અને પુદ્ગલનો જીવથી ગ્રાહ્ય સ્વભાવ છે અને તેનાથી પુદ્ગલપરાવર્તે થાય છે. હવે આ ગાથામાં કહે છે કે એ રીતે નીતિથી ચરમપુદ્ગલપરાવર્ત ઘટે છે. તેનો ભાવ એ છે કે દરેક ધર્મશાસ્ત્રની નીતિ જીવનો પુદ્ગલથી મોક્ષ સ્વીકારે છે. જ્યારે આત્માનો મોક્ષ થાય છે ત્યારે જ આત્મા પરમ સુખનો ભોક્તા બને છે. આથી જ દરેક દર્શનકારો વડે પરમ સુખની પ્રાપ્તિના સ્થાનભૂત મોક્ષ માટેનો પુરુષાર્થ પરમ પુરુષાર્થ તરીકે સ્વીકારાયો છે. હવે જો જીવનો મોક્ષ ઘટે તો અનંત કાળથી પુદ્ગલને ગ્રહણ કરવાનો જીવના સ્વભાવનો અંત થાય, અને તે સ્વભાવના કારણે થતા પુદ્ગલપરાવર્તાનો પણ અંત થાય. તેથી જ મોક્ષની પહેલાંનો જે છેલ્લો પુદ્ગલપરાવર્ત છે તે ચરમપુદ્ગલપરાવર્ત તરીકે ઘટે છે.જો આમ ન સ્વીકારીએ તો જેમ ચરમ સિવાયના સર્વ પુગલપરાવર્તામાં પુદ્ગલ ગ્રહણ કરવાનો જે જીવનો સ્વભાવ છે તેનો નાશ થતો નથી, તેમ ચરમપુલપરાવર્તમાં પણ જીવના તેવા સ્વભાવનો નાશ થતો નથી તેમ માનવું પડે; અને તેમ માનીએ તો મોક્ષ સંગત ન થાય.આનાથી એ ફલિત થાય છે કે સર્વદર્શનકારો મોક્ષને માટે ઉપદેશ આપે છે, માટે જ એ નક્કી થાય છે કે જીવનો પુદ્ગલ ગ્રહણ કરવાનો સ્વભાવ ચરમપુદ્ગલપરાવર્તમાં ક્ષય થાય છે અને તેથી જ શાસ્ત્રયુક્તિથી ચરમપુદ્ગલપરાવર્ત ઘટે છે..૪-પા
तत्तग्गहणसहावो आयगओ इत्थ सत्थगारेहिं । सहजो मलु त्ति भण्णइ, भव्वत्तं तक्खओ एसो ॥६॥ तत्तद्ग्रहणस्वभाव आत्मगतोऽत्र शास्त्रकारैः । सहजो मल इति भण्यते भव्यत्वं तत्क्षय एषः ॥६।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org