SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 9 ચરમપરિવર્તવિંશિકા D. ગાથાર્થ : જેમ મોટા વ્યાધિના વિકારમાં સમ્યગુ પથ્યનો આશય થતો નથી, તેમ ઘણા ભાવમલને કારણે ચરમાવર્તની બહાર મોક્ષનો આશય પણ થતો નથી. ભાવાર્થ : ત્રણે પ્રકારના શુદ્ધધર્મો મોક્ષના આશયપૂર્વકની આચરણા સ્વરૂપ છે અને ચરમાવર્ત બહાર મોક્ષનો આશય પણ થતો ન હોવાથી શુદ્ધધર્મ સંભવતો નથી. અહીં વિશેષ એ છે કે કોઈ જીવને મોક્ષનો આશય પ્રગટે એટલા માત્રથી ધર્માનુષ્ઠાન વિષયશુદ્ધ કહેવાય નહીં, પરંતુ મોક્ષનો આશય પ્રગટ્યા પછી મોક્ષની પ્રાપ્તિ માટે ક્રિયા કરે તો તે ધર્માનુષ્ઠાન વિષયશુદ્ધ બને છે. પરંતુ જો તે ક્રિયા ભૃગુપાતાદિરૂપ હોય તો તે ધર્માનુષ્ઠાન વિષયશુદ્ધ હોવા છતાં પણ સ્વરૂપશુદ્ધ કે અનુબંધશુદ્ધ નથી. અને મોક્ષનો આશય પ્રગટ્યા પછી લોકદેષ્ટિથી યમ-નિયમની આચરણા કરે છે તે સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન' છે, પરંતુ “અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન નથી. અને સૂક્ષ્મબોધને કારણે લોકોત્તર દષ્ટિથી યમ-નિયમની આચરણા કરે તો તે “અનુબંધશુદ્ધઅનુષ્ઠાન' છે, જે ભગવાનના વચનાનુસાર દેશવિરતિ કે સર્વવિરતિરૂપ છે. વળી ચરમાવર્ત બહાર તો મોક્ષનો આશય પણ પ્રગટતો નથી, તો શુદ્ધધર્મ ક્યાંથી પ્રગટ થાય? તેથી જ અહીં કહ્યું કે ચરમાવર્ત બહાર શુદ્ધધર્મ પ્રગટ થતો નથી.I૪શા અવતરણિકા : ગાથા-૨માં કહ્યું કે ચરમપુદ્ગલપરાવર્તથી અન્યત્ર મોક્ષનો આશય પણ પ્રગટ થતો નથી, તેથી પ્રશ્ન થાય કે કેટલા પુદ્ગલપરાવર્તે થાય છે અને કઈ રીતે? તેનો ઉત્તર આપતાં કહે છે परियट्टा उ अणंता हुँति अणाइम्मि इत्थ संसारे । तप्पुग्गलाणमेव य तहा तहा हुँति गहणाओ ॥३॥ परिवर्तास्तु अनन्ता भवन्ति अनादावत्र संसारे । तत्पुद्गलानामेव च तथा तथा भवन्ति ग्रहणात् ॥३।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy