________________
૬૨
0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન નિયમથી પ્રગટ થાય છે. આ શુદ્ધધર્મ ચરમપુદ્ગલપરાવર્તમાં જ પ્રગટ થાય છે, તેની પૂર્વે પ્રગટ થતો નથી.
અહીં ‘નિયમથી પ્રગટ થાય છે તેમ કહ્યું, તેનો ભાવ એ છે કે, ચરમપુદ્ગલપરાવર્તમાં આ શુદ્ધધર્મ પ્રારંભથી જ પ્રગટ થાય છે તેવો નિયમ નથી, પરંતુ ચરમપુદ્ગલપરાવર્તમાં અવશ્ય પ્રગટ થાય છે. કોઈકને પ્રારંભથી થાય અને કોઈકને પાછળથી થાય.
વળી “નિશ્ચયથી પ્રગટ થાય છે તેમ કહ્યું તેનો ભાવ એ છે કે, જીવે સાધ્વાચારની ક્રિયાઓ સ્વરૂપ ધર્મ વ્યવહારથી આચરણારૂપે તો અનંતી વખત પ્રાપ્ત કર્યો છે અને
જ્યારે તે સાધ્વાચારની ક્રિયાઓ બાહ્ય આચરણાઓથી શુદ્ધ હોય ત્યારે જ જીવની સદ્ગતિનું કારણ બને છે, પરંતુ મોક્ષનું કારણ બને તેવો શુદ્ધધર્મ ચરમપુદ્ગલપરાવર્ત પૂર્વે ક્યારે પણ પ્રગટ થયો નથી; કેમ કે ચરમપુદ્ગલપરાવર્ત પૂર્વે તથાભવ્યત્વનો પરિપાક થયો હોતો નથી, કારણ કે તથાભવ્યત્વના પરિપાક માટે જેટલો ભાવમલનો ક્ષય આવશ્યક છે, તેટલો ભાવમલનો ક્ષય ચરમપુદ્ગલપરાવર્ત પૂર્વે થયો હોતો નથી. તેથી વ્યવહારથી=બાહ્ય આચરણારૂપે ધર્મ ચરમાવર્ત બહાર પણ પ્રગટી શકે છે, પરંતુ નિશ્ચયથી મોક્ષને અનુકૂળ એવા જીવના પરિણામરૂપ ભાવથી, ચરમપુદ્ગલપરાવર્તમાં જ આ ધર્મ પ્રગટે છે.JI૪-૧પ
અવતરણિકા :
ગાથા-૧માં કહ્યું કે ચરમપુદ્ગલપરાવર્તમાં આ શુદ્ધધર્મ પ્રગટે છે, ત્યાં પ્રશ્ન થાય છે કે, ચરમાવર્ત બહાર કેમ શુદ્ધધર્મ પ્રગટતો નથી? તેનો જવાબ આપતાં કહે છે
मुक्खासओ वि नन्नत्थ होइ गुरुभावमलपहावेण । जह गुरुवाहिविगारे न जाउ पत्थासओ सम्मं ॥२॥ मोक्षाशयोऽपि नान्यत्र भवति गुरुभावमलप्रभावेण । यथा गुरुव्याधिविकारे न जातु पथ्याशयः सम्यक् ।।२।।
અન્વયાર્થ:
નદ જેમ ગુરુવિિવકારે મોટા વ્યાધિના વિકારમાં સમું સમ્યમ્ સ્થાનો પથ્યનો આશયરની થતો નથી, તેમ ગુરુમવિમર્ભપાવેTઘણા ભાવમલના પ્રભાવથી ઉન્નત્ય અન્યત્રકચરમાવર્ત બહાર મુરવીરો વિ મોક્ષનો આશય પણ ન દો થતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org