SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ઇ ચરમપરિવર્તવિશિકા D // = eleadfoા તુર્થી // અવતરણિકા : ત્રીજી વિંશિકાની ગાથા-૧૨માં કુલનીતિ અને લૌકિકધર્મો બતાવતાં કહ્યું કે આ લૌકિકધર્મો અભ્યુદયસાધક છે, આમ છતાં તે વિપાકથી વિરસ છે. ત્યારપછી ગાથા૨૦માં લૌકિકધર્મ કરતાં વિલક્ષણ એવા શુદ્ધધર્મના ત્રણ ભેદો બતાવ્યા. ત્યાં પ્રશ્ન થાય કે આપણે અનાદિકાળથી છીએ તો અત્યાર સુધી આપણને એ શુદ્ધધર્મ મળ્યો હશે કે નહીં? અને ન મળ્યો હોય તો ક્યારે મળશે? તે જણાવવા ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ આ શુદ્ધધર્મ પ્રગટ થાય છે, આ બતાવવા માટે જ કુલનીતિ અને લોકધર્મ બતાવ્યા પછી “ચરમપરિવર્તવિંશિકા” રચેલ છે. निच्छयओ पुण एसो जायइ नियमेण चरमपरिट्टे । तहभव्वत्तमलक्खयभावा अच्चंतसुद्ध त्ति || निश्चयतः पुनरेष जायते नियमेन चरमपरिवर्ते 1 तथाभव्यत्वमलक्षयभावादत्यन्तशुद्ध इति 11211 અન્વયાર્થ : પુળ વળી તદ્દમવ્યત્તમાશ્ર્વયમાવા તથાભવ્યત્વના પરિપાકને કારણે મલનો ક્ષય થવાથી અત્યંતનુન્દ્વ અત્યંત શુદ્ધ એવો સો=આ=શુદ્ધધર્મ નિષ્પ્રયો નિશ્ચયથી=પરમાર્થથીનિયમેળનક્કી ઘરમરિય}ચરમપુદ્ગલપરાવર્તમાં નાયકૢ પ્રગટ થાય છે. ત્તિ=પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ ઃતથાભવ્યત્વના પરિપાકને કારણે મલનો ક્ષય થવાથી અત્યંત શુદ્ધ એવો શુદ્ધધર્મ પરમાર્થથી નક્કી ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રગટ થાય છે. ભાવાર્થ : જીવનું તથાભવ્યત્વ જ્યારે પરિપાકને અભિમુખ થાય છે ત્યારે મલનો ક્ષય થાય છે અને તેના કારણે જ પૂર્વ વિંશિકામાં બતાવેલ ત્રણ પ્રકારનો શુદ્ધધર્મ જીવમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy