________________
૬૧
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ઇ ચરમપરિવર્તવિશિકા D
// = eleadfoા તુર્થી //
અવતરણિકા :
ત્રીજી વિંશિકાની ગાથા-૧૨માં કુલનીતિ અને લૌકિકધર્મો બતાવતાં કહ્યું કે આ લૌકિકધર્મો અભ્યુદયસાધક છે, આમ છતાં તે વિપાકથી વિરસ છે. ત્યારપછી ગાથા૨૦માં લૌકિકધર્મ કરતાં વિલક્ષણ એવા શુદ્ધધર્મના ત્રણ ભેદો બતાવ્યા. ત્યાં પ્રશ્ન થાય કે આપણે અનાદિકાળથી છીએ તો અત્યાર સુધી આપણને એ શુદ્ધધર્મ મળ્યો હશે કે નહીં? અને ન મળ્યો હોય તો ક્યારે મળશે? તે જણાવવા ચરમપુદ્ગલપરાવર્તકાળમાં જ આ શુદ્ધધર્મ પ્રગટ થાય છે, આ બતાવવા માટે જ કુલનીતિ અને લોકધર્મ બતાવ્યા
પછી “ચરમપરિવર્તવિંશિકા” રચેલ છે.
निच्छयओ पुण एसो जायइ नियमेण चरमपरिट्टे । तहभव्वत्तमलक्खयभावा अच्चंतसुद्ध त्ति || निश्चयतः पुनरेष जायते नियमेन चरमपरिवर्ते 1 तथाभव्यत्वमलक्षयभावादत्यन्तशुद्ध इति
11211
અન્વયાર્થ :
પુળ વળી તદ્દમવ્યત્તમાશ્ર્વયમાવા તથાભવ્યત્વના પરિપાકને કારણે મલનો ક્ષય થવાથી અત્યંતનુન્દ્વ અત્યંત શુદ્ધ એવો સો=આ=શુદ્ધધર્મ નિષ્પ્રયો નિશ્ચયથી=પરમાર્થથીનિયમેળનક્કી ઘરમરિય}ચરમપુદ્ગલપરાવર્તમાં નાયકૢ પ્રગટ થાય છે. ત્તિ=પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ ઃતથાભવ્યત્વના પરિપાકને કારણે મલનો ક્ષય થવાથી અત્યંત શુદ્ધ એવો શુદ્ધધર્મ પરમાર્થથી નક્કી ચરમપુદ્ગલપરાવર્તમાં પ્રગટ થાય છે.
ભાવાર્થ :
જીવનું તથાભવ્યત્વ જ્યારે પરિપાકને અભિમુખ થાય છે ત્યારે મલનો ક્ષય થાય છે અને તેના કારણે જ પૂર્વ વિંશિકામાં બતાવેલ ત્રણ પ્રકારનો શુદ્ધધર્મ જીવમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org