________________
૫૩
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ) કુલનીતિધર્મવિંશિકાd અવતરણિકા :
ગાથા-૧૨માં કહ્યું કે અન્યદર્શનના સ્વશાસ્ત્રસિદ્ધ ધર્મો અભ્યદયફળવાળા છે, ત્યાં પ્રશ્ન થાય કે, અન્યદર્શનના ધર્મો પ્રકૃતિથી સાવધ હોવા છતાં અભ્યદયના કારણ કેવી રીતે બને? તે બતાવતાં કહે છે'
पयई सावज्जा वि हु तहा वि अब्भुदयसाहणं नेया । ह धम्मसालिगाणं हिंसाइ तहऽत्थहेउ त्ति ॥१३॥ प्रकृतिः सावद्यापि खलु तथाप्यभ्युदयसाधनं ज्ञेया । यथा धर्मशालिकानां हिंसादि तथार्थहेतुरिति ॥१३।।
અન્વયાર્થ:
પથર્ડ સર્વિક્સા વિ પ્રકૃતિથી સાવદ્ય પણ (આ ધર્મો) શુ ખરેખર તેહ વિ તે પ્રકારના જમ્મુથી અભ્યદયના સાધનને જાણવા, ગજેમ ધમસતિ TIT હિંડ્રધર્મશાળાદિ સંબંધી હિંસાદિ (પણ) તત્થરે તે પ્રકારના=નિરનુબંધ અર્થના પુણ્યબંધના હેતુ છે. ત્તિ પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
પ્રકૃતિથી સાવદ્ય પણ આ ધર્મો ખરેખર તે પ્રકારના જ અભ્યદયના સાધન જાણવા, જેમ ધર્મશાળાદિ સંબંધી હિંસાદિ પણ નિરનુબંધ પુણ્ય બંધાવવાનું કારણ છે.
ભાવાર્થ :
ધર્મશાળાદિમાં થતી હિંસા જેમ સામાન્ય પુણ્યોદય એટલે કે નિરનુબંધ પુણ્યોદયનું કારણ બને છે, તેમ અન્યદર્શનના વર્ણાશ્રમાદિ ધર્મો પ્રકૃતિથી સાવદ્ય હોવા છતાં પણ, મોક્ષ સાથે અસંલગ્ન એવા સામાન્ય પ્રકારના પુણ્યના જ સાધન છે.
અહીં ધર્મશાળાથી સામાન્ય મુસાફરોના આશ્રયસ્થાનરૂપ ધર્મશાળાઓ ગ્રહણ કરવાની છે.ll૩-૧all
અવતરણિકા :
આ રીતે અન્ય શાસ્ત્રોમાં કહેવાયેલા ધર્મો અભ્યદયફળવાળા છે એમ બતાવીને, હવે લૌકિક ધર્મો કરનારા જીવો અને તેમનો વૈરાગ્ય કેવો હોય છે તે બતાવતાં કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org