________________
પર
0 કુલનીતિધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ભાવાર્થ :
વેદશાસ્ત્રોમાં બ્રાહ્મણાદિ ચાર વર્ણોને આશ્રયીને જુદા જુદા ધર્મો કહેવાયા છે. બ્રાહ્મણનાં અમુક જાતનાં નિત્યકૃત્યો હોય છે, તે નિત્યકૃત્યો બ્રાહ્મણોએ કરવાં જોઇએ. તેની જેમ ક્ષત્રિય, વૈશ્યો અને શૂદ્રોને પણ અલગ અલગ નિત્યકૃત્યો કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે, જે તેઓએ કરવી જોઇએ. આ ઉપરાંત પ્રથમ ઉંમરમાં બ્રહ્મચર્યાશ્રમના સેવનની વિધિ છે, ત્યારપછી ગૃહસ્થાશ્રમ, પાછળની ઉંમરમાં વાનપ્રસ્થાશ્રમ અને જીવનના અંત ભાગમાં સંન્યાસાશ્રમ સેવનની વિધિ છે.૩-૧૧
एए ससत्थसिद्धा धम्मा जयणाइभेयओ चित्ता । अब्भुदयफला सव्वे विवागविरसा य भावेणं ॥१२॥ एते स्वशास्त्रसिद्धा धर्मा यतनादिभेदतश्चित्राः । अभ्युदयफलाः सर्वे विपाकविरसाश्च भावेन ॥१२।।
અન્વયાર્થ
W થી આ ધર્મો શ્લોક-૧૧માં કહેવાયેલા ચાર પ્રકારના વર્ણના અને આશ્રમોના ધર્મો સસ્થસિદ્ધ સ્વશાસ્ત્રોમાં–બ્રાહ્મણોના શાસ્ત્રોમાં સિદ્ધ છે, નયUTIમેયમો વિત્તા અને યતના આદિના ભેદથી અનેક પ્રકારના છે, માવેvi પરિણામથી ફળથી સન્ચે સમુદ્રય સર્વે અભ્યદયફળવાળા છે વિવાવિરસા ય અને મોક્ષના કારણ નહીં હોવાને કારણે) વિપાકથી વિરસ છે.
ગાથાર્થ :
શ્લોક-૧૧માં કહેવાયેલા ચાર પ્રકારના વર્ણના અને આશ્રમોના ધર્મો બ્રાહ્મણોના શાસ્ત્રોમાં સિદ્ધ છે અને જુદા જુદા યતનાઆદિના ભેદથી અનેક પ્રકારના છે, પરિણામથી ફળથી સર્વે અભ્યદયફળવાળા છે અને મોક્ષના કારણ નહીં હોવાને કારણે વિપાકથી વિરસ છે.
ભાવાર્થ :
અગીયારમી ગાથામાં કહેવાયેલા ચાર પ્રકારના વર્ણના અને આશ્રમોના ધર્મો બ્રાહ્મણોના શાસ્ત્રોમાં સિદ્ધ છે અને જુદા જુદા યતનાઆદિના ભેદથી અનેક પ્રકારના છે. તે સર્વે ધર્મોના સેવન કરવાના પરિણામથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, પરંતુ આ ધર્મો મોક્ષના કારણ નહીં હોવાને કારણે પરિણામે વિરસ છે.II3-1શા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org