________________
0 અનાદિવિંશિકા C
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
४४
અન્વયાર્થ :
રૂય આ પ્રકારે શ્લોક-૧ થી ૧૯માં વર્ણન કર્યું તે પ્રકારે, તન્તનુત્તિસિદ્ધો શાસ્ત્રાનુસારી યુક્તિથી સિદ્ધ નો આ લોક-પૂર્વમાં વર્ણન કરાયેલ અને ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત એવો આ લોક, સUIÉ ઇંદ્રિ ખરેખર અનાદિમાન છે. ફરી એવું ન માનો તો રૂમક્સડમાવો પાવડું આનો દેખાતા લોકનો અભાવ પ્રાપ્ત થાય. પરિતિધ્વમિvi આ પરિચિંતવન કરવું. ત્તિ પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
શ્લોક-૧ થી ૧૯માં વર્ણન કર્યું તે પ્રકારે શાસ્ત્રાનુસારી યુક્તિથી સિદ્ધ, પૂર્વમાં વર્ણન કરાયેલ અને ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત એવો આ લોક ખરેખર અનાદિમાન છે. એવું ન માનો તો દેખાતા લોકનો અભાવ પ્રાપ્ત થાય. આ પરિચિંતવન કરવું.
ભાવાર્થ - - પૂર્વના શ્લોકોમાં વર્ણન કર્યું એ પ્રકારે શાસ્ત્રાનુસારી યુક્તિથી સિદ્ધ એવો આ અનાદિ લોક છે, અને આ લોક અનાદિ જ છે તેને દઢ કરવા અર્થે કહે છે કે, જો આ લોકને અનાદિ ન માનો તો લોકનો અભાવ પ્રાપ્ત થાય. કેમ કે પહેલાં લોક ન હોય તો અભાવમાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન થઇ શકે નહીં, તેથી વર્તમાનમાં પણ તેનો અભાવ પ્રાપ્ત થવો જોઇએ. અને વર્તમાનમાં જો લોકનો અભાવ હોય તો આ બધું જ દેખાય છે એ કંઇ હોવું જોઇએ નહીં. અને આ બધું દેખાય છે, તેથી પૂર્વમાં પણ આ સર્વવસ્તુઓનો કોઇને કોઇક સ્વરૂપે સદ્ભાવ હોવો જ જોઈએ. તેથી “લોક અનાદિ જ છે” આ પ્રકારે વિચારવું જોઇએ, જેથી શાસ્ત્રાનુસારી યુક્તિથી જગતના પદાર્થોને જોવાની નિર્મળ પ્રજ્ઞા પ્રગટે અને આત્મહિત માટે યત્ન થાય.l૨-૨૦||.
॥ इति द्वितीया अनादिविशिका समाप्ता ॥२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org