________________
૪૩
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
7 અનાદિવિંશિકા જી
નથી તે પૂર્વગાથામાં બતાવ્યું, તેની જેમ લોકને અભાવરૂપે કલ્પવો પણ યુક્ત નથી. જેમ સ્વપ્રમાં બધું દેખાય છે પરંતુ કાંઇ હોતું નથી, તેમ વર્તમાનમાં જે સર્વે પદાર્થો દેખાય છે અને તેના સમુદાયરૂપ આ લોક છે એમ જે કહેવાય છે, તે વસ્તુતઃ કંઇ જ નથી, પરંતુ લોકનો અભાવ છે. આ પ્રકારનો એવંભૂતનય પર ચાલનાર શૂન્યવાદી બૌદ્ધનો મત છે.
તેનું નિરાકરણ કરતાં કહે છે કે આ અભાવ હંમેશાં સાધિક હોય છે. તે આ રીતે- જ્યારે આપણે “ઘટનો અભાવ છે” એમ કહીએ છીએ ત્યારે તેનાથી “ઘટ અધિક અભાવ છે'' એમ પ્રાપ્ત થાય. તે અભાવની અવિધ કરનાર ઘટ પદાર્થ છે. ઘટાભાવની અવિધ કરનાર જે ઘટ હોય તે ઘટ પોતે અભાવરૂપ નથી હોતો, પરંતુ તે ઘટ તો ભાવાત્મક પદાર્થ જ હોય છે. આથી જ ગ્રંથકાર કહે છે કે ‘‘નીર્ફે અવહી ગામાવો’' નીતિથી=યુક્તિથી, અવધિ (સ્વયં) અભાવ નથી.
‘“લોકનો અભાવ” એમ કહીએ તો “લોક અધિક અભાવ' એમ સિદ્ધ થાય અને તે અભાવની અધિ કરનાર તરીકે લોકનું ગ્રહણ થાય. જેમ ઘટાભાવની અવિધ કરનાર ઘટ પોતે તો ભાવાત્મક પદાર્થ જ હોય છે, તેમ લોક એ અભાવની અવિધ કરનાર હોવા છતાં પણ લોક પોતે અભાવરૂપ નથી હોતો, પરંતુ ભાવાત્મક પદાર્થ જ હોય છે તેમ સિદ્ધ થાય છે. જેમ ઘટનો અભાવ કહીએ તેથી ઘટની સત્તા ક્યાંક છે તેમ સિદ્ધ થાય, તે રીતે લોકનો અભાવ કહીએ તો લોકની સત્તા પણ ક્યાંક છે એમ સિદ્ધ થાય. તેથી વર્તમાનમાં જે લોક દેખાય છે તે નથી, એમ કહીને લોકને અભાવરૂપે સ્થાપન કરનાર બૌદ્ધની યુક્તિ અયુક્ત છે.
વસ્તુતઃ લોકનો અભાવ છે એમ કહેવાથી જ અભાવના અધિરૂપે લોકની સિદ્ધિ થાય છે. તેથી લોકનો અભાવ છે એ પ્રકારનું બૌદ્ધનું વચન જ ‘મારી માતા વંધ્યા છે” એના જેવું અસંબદ્ધ છે.II૨-૧૯॥
અવતરણિકા :
આખી અનાદિવિશિંકાનું નિગમન કરતાં કહે છે.
इय तन्तजुत्तिसिद्धो अणाइमं एस हंदि लोगो त्ति । इहरा इमस्सऽभावो पावइ परिचिंतियव्वमिणं ॥२०॥ इति तन्त्रयुक्तिसिद्धोनादिमानेष हन्त लोक इति इतरथास्याभावः प्राप्नोति परिचिन्तयितव्यमिदम् ॥२०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org