________________
૪૨
અનાદિવિંશિકા | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન હોય તો કાર્યના વૈચિત્ર્યનું ભેદક કોઇ નથી રહેતું. આ કારણથી જ અભાવમાંથી વિચિત્ર એવું આ જગત થઈ શકે નહીં. પહેલાં કોઈ વસ્તુ જ ન હોય તો પાછળથી જે જુદા જુદા અનેક પદાર્થોની પ્રાપ્તિ થવારૂપ વૈચિત્ર્ય છે, તેને કરતો કોઈ ભેદક પણ પહેલાં નહોતો તેમ માનવું પડે, અને ભેદક ન હોય તો વૈચિત્ર્ય પણ થઈ શકે નહીં. અને આવી માન્યતા દષ્ટવ્યવસ્થા સાથે સંગત નથી થતી, તેથી લોકને અનાદિ માનવો એ જ ઉચિત છે.Jર-૧૮II
અવતરણિકા -
અઢારમી ગાથામાં ભૂતકાળમાં અનાદિકાલીન અંધકાર જ હતો અને પછી જગતનું સર્જન થયું એવું માનનાર ઇશ્વરકર્તુત્વવાદીઓના જુદા જુદા મતોનું નિરાકરણ કર્યું. હવે શૂન્યવાદી બૌદ્ધમતનું નિરાકરણ કરતાં કહે છે
भेयगविरहे तस्सेव तस्सऽभावत्तकप्पणमजुतं । जम्हा सावहिगमिणं नीई अवही य णाभावो ॥१९॥ भेदकविरहे तस्येव तस्याभावत्वकल्पनमयुक्तम् । यस्मात्सावधिकमिदं नीत्याऽवधिश्च नाभावः ॥१९।।
અન્વયાર્થઃ
વિદે ભેદકના વિરહમાં તસેવ તેની જેમeતમ ની જેમ તસડમાવત્તપૂUામનુતં તેને-લોકને અભાવત્વરૂપે કલ્પવું યોગ્ય નથી, કણ જે કારણથી સાવરમ આ=અભાવસાવલિક છે અને નીરુંનીતિથી વહી જમાવો અવધિ અભાવ નથી.
જ અહીં તપ્ત શબ્દ અભાવપણાથી કલ્પનાનું કર્મ છે અને કર્માર્થક ષષ્ઠીવિભક્તિ છે.
ગાથાર્થ -
ભેદકના વિરહમાં તમની જેમ લોકને અભાવત્વરૂપે કલ્પવું યોગ્ય નથી, જે કારણથી અભાવ સાવધિક છે અને નીતિથી અવધિ અભાવ નથી.
ભાવાર્થ :
પહેલાં લોકને અસત્ એવા અંધકારરૂપે માનવો તે ભેદકના વિરહને કારણે યુક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org