________________
૪૧
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન
અનાદિવિંશિકા ]
અન્વયાર્થ :
પોઆગળમાં ભૂતકાળમાંરૂ આ=લોકમસેવા|ફિયતમ માસિઅસદુ જ અનાદિ અંધકાર હતો, વિમા વિ ઈત્યાદિ પણ મેયવિભેદકનો વિરહ હોતે છતે વત્તિનોનો વૈચિત્ર્યના યોગને કારણે હોડું પસિદ્ધ પ્રતિષિદ્ધ થાય છે.
જ અહીં રૂ શબ્દ “તિર્' અર્થક છે અને તે લોકો પરામર્શક છે. જોકે લોક શબ્દ પુલ્લિગ છે તો પણ આગળમાં તમ: શબ્દ નપુંસકલિંગ છે, તેની પ્રધાનતાથી અપેક્ષાએ રૂ નપુંસકલિંગ ગ્રહણ કર્યો છે.
ગાથાર્થ -
આગળમાં આ લોક અસદુ જ અનાદિ અંધકાર હતો, ઇત્યાદિ પણ ભેદકનો વિરહ હોતે છતે વૈચિયના યોગને કારણે પ્રતિષિદ્ધ થાય છે.
ભાવાર્થ :
નૈયાયિક સાત પદાર્થોને માને છે, તેમાં છ પદાર્થો ભાવાત્મક માને છે અને સાતમો પદાર્થ અભાવરૂપે માને છે. તેઓ અભાવ પણ પ્રાભાવ આદિ ચાર પ્રકારનો માને છે. અંધકારને તે દ્રવ્યરૂપે નથી સ્વીકારતો પરંતુ પ્રકાશના અભાવરૂપે સ્વીકારે છે. અહીં તેનું કહેવું છે કે પૂર્વમાં અનાદિકાળથી અસત્ અર્થાત્ અભાવરૂપ જ અંધકાર હતો અને પાછળથી આ દશ્યમાન જગત અમુક કાળે પેદા થયું. તેના મત પ્રમાણે પૂર્વમાં અંધકારાત્મક અસત્ એવો એક પદાર્થ હતો, તેના સિવાય વર્તમાનમાં દેખાય છે તેવા કોઈ પદાર્થો હતા નહીં અને પાછળથી તે સર્વ ઉત્પન્ન થયા છે.
નૈયાયિકના મતનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે વર્તમાનમાં લોકની અંદર વિચિત્રતા દેખાય છે અને તે ચિત્રનો યોગ સર્વથા અભાવમાંથી થઈ શકે નહીં. વર્તમાનમાં જગત અનેક વિચિત્રતાવાળું પણ દેખાય છે અને તે વિચિત્રતા, કારણના વૈચિત્ર્યથી થતી પણ દેખાય છે. આ અનુભવને અનુરૂપ વિચારણા કરીએ તો પૂર્વમાં સર્વથા અભાવ હોય અને તેમાંથી કોઈ વસ્તુ બને એમ સ્વીકારી લઈએ, તો પણ અનેક વિચિત્રતાવાળી વસ્તુ કેમ થઈ એ પ્રશ્ન તો ઊભો જ રહે છે. આંખ બંધ કરીને સ્વીકારીએ તો જ સ્વીકારી શકાય કે વિચિત્ર એવું આ જગત અભાવમાંથી ઉત્પન્ન થયું. પરંતુ અનુભવ પ્રમાણે જોઇએ તો કાર્યની વિચિત્રતા પ્રત્યે કારણની વિચિત્રતા માનવી જ પડે, અને કાર્યના વૈચિત્ર્યનું નિયામક કારણનું વૈચિત્ર્ય માનીએ તો સર્વથા અભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org